ઈરાન-ઇઝરાયલનું યુદ્ધ મોરબીમાં આવેલ વિશ્વ કક્ષાના સિરામિક ઉદ્યોગનો મૃત્યુ ઘંટ વગાડશે !: નેચરલ-પ્રોપેન ગેસના ભાવમાં બમણો વધારો રેકોર્ડ બ્રેક સંખ્યા: મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળીમાં તપસ્વીઓનો આંકડો ૫૫૧ સુધી પહોચ્યો મોરબીની ગજાનન પાર્ક સોસાયટીમાં રામ નવમીની શોભાયાત્રા સાથે ભવ્ય ઉજવણી કરાઇ મોરબીમાં બે અને ટંકારામાં એક વિદેશી દારૂની રેડ: 337 બોટલ દારૂ ઝડપાયો, બે આરોપી પકડાયા-બેની શોધખોળ મોરબી અગાઉ કરેલ ફરિયાદ અને રૂપિયાની લેતી દેતીનો ખાર રાખીને યુવાનને ફોન ઉપર ધાક ધમકી વાંકાનેરમાં અપમૃત્યુના બે બનાવ: બીમારીથી કંટાળીને મહિલાએ કર્યો આપઘાત-લુહારની વાડી પાસે હાર્ટ એટેકથી વૃદ્ધનું મોત વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા
Breaking news
Morbi Today

મોરબીમાં દારૂના ગુનામાં ફરાર આરોપીને એલસીબીએ પકડી પાડ્યો


SHARE











મોરબીમાં દારૂના ગુનામાં ફરાર આરોપીને એલસીબીએ પકડી પાડ્યો

મોરબીના સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં દારૂનો ગુનો નોંધાયો હતો.તે ગુનામાં છેલ્લા કેટલાક સમયથી આરોપી ફરાર હતો જેને એલસીબીના સ્ટાફે પકડી પડ્યો છે.

રેન્જ આઇજી અશોકકુમાર યાદવ દ્વારા ફરાર આરોપીઓને પકડી પાડવા સુચના કરવામાં આવી હોય મોરબી જિલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠીએ જિલ્લાના પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલ ગુનામાં ફરાર આરોપીઓને પકડી પડવા સૂચના આપી હતી.દરમિયાનમાં મોરબી એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી અને તે દરમિયાનમાં એલસીબી પેરોલફર્લો ટીમના જયવંતસિંહ ગોહીલ, પૃથ્વીરાજસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડાને બાતમી મળેલ કે, મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ દારૂના ગુનામાં ફરાર આરોપી સાજીદ ઉર્ફે સાજલો અબ્દુલભાઇ સુમરા રહે.વીસીપરા મસ્જીદ વાળી શેરીમાં વાળો હાલે તેના રહેણાંક મકાન વાળી શેરીમાં ઉભેલ હોવાની હકીકત મળતા પોલીસે ત્યાં રેડ કરીને દારૂના ગુનામાં ફરાર આરોપી સાજીદ ઉર્ફે સાજલો અબ્દુલભાઇ સુમરા જાતે સંધી (ઉમર ૨૫) રહે.વીસીપરા મસ્જીદ વાળી શેરી મળી આવતા તેને પકડીને હાલ બી ડિવિઝન પોલીસ હવાલે કર્યો હતો.

કેમિકલ પી જતા સારવારમાં

મોરબીના વાંકાનેરમાં આવેલા જીનપરા વિસ્તારમાં રહેતી અવનીબેન હિતેશભાઈ દલસાણીયા (૨૫) નામની મહિલા ઘરે કોઈ કારણોસર ટર્પેન્ટાઈન પી ગઈ હતી જેથી કરીને તેણીને સારવાર માટે અત્રે આયુષ હોસ્પિટલએ લાવવામાં આવી હતી.મોરબી એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડાએ પ્રાથમિક તપાસ કરીને આ અંગે વાંકાનેર સિટી પોલીસને જાણ કરી હતી.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના માધાપર શાક માર્કેટ પાસેથી બાઈક લઈને જતા બે યુવાનોના બાઇકની આડે કૂતરો ઉતરતા બંને યુવાનો નીચે પટકાયા હતા જે બનાવમાં ધરમશીભાઈ હીરાભાઈ (ઉમર ૫૨) અને દશરથજી રાઘુજી ઠાકોર (ઉમર ૧૮) રહે.બંને પાટણ વાળાઓને અત્રેની ખાનગી હોસ્પિટલે સારવારમાં ખસેડાયા હતા






Latest News