મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં ડુપ્લીકેટ બીયારણ-ખાતર-જંતુનાશકોનું વહેચાણ થઇ રહ્યું હોય પગલાલેવા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ


SHARE







મોરબીમાં ડુપ્લીકેટ બીયારણ-ખાતર-જંતુનાશકોનું વહેચાણ થઇ રહ્યું હોય પગલાલેવા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ

મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ખેતીવાડી અધિકારીને તેમજ ખોરાક અને ઔષધ નિયમન અધિકારી તથા જિલ્લા વિકાસ અધિકારી સાથે કલેકટરને લિખિત રજૂઆત કરીને જિલ્લામાં વેચાતા નકલી બિયારણ ખાતર અને જંતુનાશક દવાઓ અંગે યોગ્ય તપાસ કરવામાં આવે અને જવાબદરો સામે પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે

નકલી બિયારણ, નકલી ખાતર અને નકલી જંતુનાશક દવાઓનું મોરબીમાં વહેચાણ થઇ રહયું છે હવે વરસાદની સીઝન શરૂ થશે ખેડૂતોને ખેતી માટે જરૂર પડશે અને દર વરસે ખેડૂતોના પાકને નુકશાન થાય છે આવા નકલી બીયારણ અને ખાતરને કારણે ખેડૂતોને શોષવુ પડે છે માટે વર્ષ આખાની ખેડૂતની મહેનત એળે ન જાય તે માટે અત્યારથી તપાસ કરવી જોઇએ સાથે સાથે ખોરાક અને ઔષધ વિભાગે આવા નકલી બીયારણ, ખાતરને કારણે ખેડુતોએ શોષવુ ન પડે તે માટે તેમજ ખેડુતની વર્ષ આખાની ખેડુતની મહેનત એળે ન જાય તે માટે અત્યારથી તપાસ કરવી જોઇએ.સાથેસાથે ખોરાક અને ઔષધ વિભાગે આવા નકલી બીયરાણ, ખાતર અને જંતુનાશક દવાની તપાસ કરી કાયદેસર કાર્યવાહી કરવી જોઇએ ખેડૂતો પણ કોઇપણ વસ્તુની ખરીદી કરે તો વેપારી પાસેથી બીલ લેવાનો આગ્રહ રાખે વેપારીએ બીલ આપવુ જરૂરી છે અને ગ્રાહકે બીલ લેવુ જરૂરી છે.આગામી સીઝનમાં ખેડૂતો છેતરાઇ નહી તે બાબતે નબળી ગુણવતા વાળી દવા-ખાતર-બીયારણની તપાસ કરવી જરૂરી છે.તેમ મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા અને મંત્રી રામભાઇ મહેતાએ યાદીમાં જણાવેલ છે.






Latest News