મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં ડુપ્લીકેટ બીયારણ-ખાતર-જંતુનાશકોનું વહેચાણ થઇ રહ્યું હોય પગલાલેવા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ


SHARE











મોરબીમાં ડુપ્લીકેટ બીયારણ-ખાતર-જંતુનાશકોનું વહેચાણ થઇ રહ્યું હોય પગલાલેવા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ

મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ખેતીવાડી અધિકારીને તેમજ ખોરાક અને ઔષધ નિયમન અધિકારી તથા જિલ્લા વિકાસ અધિકારી સાથે કલેકટરને લિખિત રજૂઆત કરીને જિલ્લામાં વેચાતા નકલી બિયારણ ખાતર અને જંતુનાશક દવાઓ અંગે યોગ્ય તપાસ કરવામાં આવે અને જવાબદરો સામે પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે

નકલી બિયારણ, નકલી ખાતર અને નકલી જંતુનાશક દવાઓનું મોરબીમાં વહેચાણ થઇ રહયું છે હવે વરસાદની સીઝન શરૂ થશે ખેડૂતોને ખેતી માટે જરૂર પડશે અને દર વરસે ખેડૂતોના પાકને નુકશાન થાય છે આવા નકલી બીયારણ અને ખાતરને કારણે ખેડૂતોને શોષવુ પડે છે માટે વર્ષ આખાની ખેડૂતની મહેનત એળે ન જાય તે માટે અત્યારથી તપાસ કરવી જોઇએ સાથે સાથે ખોરાક અને ઔષધ વિભાગે આવા નકલી બીયારણ, ખાતરને કારણે ખેડુતોએ શોષવુ ન પડે તે માટે તેમજ ખેડુતની વર્ષ આખાની ખેડુતની મહેનત એળે ન જાય તે માટે અત્યારથી તપાસ કરવી જોઇએ.સાથેસાથે ખોરાક અને ઔષધ વિભાગે આવા નકલી બીયરાણ, ખાતર અને જંતુનાશક દવાની તપાસ કરી કાયદેસર કાર્યવાહી કરવી જોઇએ ખેડૂતો પણ કોઇપણ વસ્તુની ખરીદી કરે તો વેપારી પાસેથી બીલ લેવાનો આગ્રહ રાખે વેપારીએ બીલ આપવુ જરૂરી છે અને ગ્રાહકે બીલ લેવુ જરૂરી છે.આગામી સીઝનમાં ખેડૂતો છેતરાઇ નહી તે બાબતે નબળી ગુણવતા વાળી દવા-ખાતર-બીયારણની તપાસ કરવી જરૂરી છે.તેમ મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા અને મંત્રી રામભાઇ મહેતાએ યાદીમાં જણાવેલ છે.






Latest News