મોરબીની ગીતાંજલી વિધાલયમાં વિદ્યાર્થીઓ-વાલીઓ માટે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા ચાલતા સીવણ કેન્દ્રમાં તાલીમ લીધેલ બહેનોને પ્રમાણપત્ર અપાયા મોરબીમાં અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને ૧૦ લાખનો વીમો વ્યાજ સહિત ચૂકવવા ગ્રાહક અદાલતનો આદેશ મોરબીની પી.જી.પટેલ કોલેજમાં સંવિધાન હત્યા દિવસ અંતર્ગત વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી મોરબી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી રચના કરવા ધારાસભ્યએ કરેલી રજૂઆત ફળી મોરબી જીલ્લામાં મેલેરીયા વિરોધી માસની ઉજવણી અંતર્ગત સઘન સર્વેલન્સની કામગીરી કરાઈ મોરબી જિલ્લામાં 31 જુલાઇ સુધી હથિયારબંધી: 4 થી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા મૂકવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
Breaking news
Morbi Today

માળીયા(મી)ના બગસરા ગામે ચેરીયા વૃક્ષોને મળતું દરિયાનું પાણી રોકનારા અજાણ્યા ત્રણ શખ્સો સામે ફરિયાદ


SHARE















માળીયા(મી)ના બગસરા ગામે ચેરીયા વૃક્ષોને મળતું દરિયાનું પાણી રોકનારા અજાણ્યા ત્રણ શખ્સો સામે ફરિયાદ

માળીયા તાલુકાના મોટાભાગના વિસ્તારોમાં દરિયાકાંઠો લાગતો હોય ત્યાં ચેરીયા વૃક્ષોનું વાવેતર કરવામાં આવતું હોય છે આવી જ રીતે માળીયા તાલુકાના બગસરા ગામની સીમમાં પણ ચેરીયા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે જો કે ચેરીયા વૃક્ષોને દરીયામાં વહોતુ પાણી ન મળે તે રીતે આડા પાળા બનાવી દેવામાં આવ્યા હોય હાલમાં જીપીસીબીના અધિકારીઓ દ્વારા માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા ત્રણ શખ્સોની સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવેલ છે જેથી કરીને પોલીસે પર્યાવરણને નુકસાન સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે 

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીમાં આવેલ ગુજરાત પ્રદુષણ કંટ્રોલ બોર્ડની પ્રાદેશિક કચેરીના અધિકારી કૃષ્ણકુમાર ભારથાજી વાઘેલા (ઉંમર વર્ષ ૫૭) એ હાલવા માળિયા(મી) તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે માળીયા તાલુકાના બગસરા ગામની સીમમાં રીયલ રીફાઇન શોલ્ટ એન્ડ એલઇડ ઇન્ડ્રસ્ટીઝ પ્રા.લી. તથા સીસાઇડ સોલ્ટ પ્રા.લી. નિલ સર્વે નંબરની જમીન પાસેના વિસ્તારની અંદર ગેરકાયદેસર કરીને કુદરતી રીતે દરિયામાં વહેતા પાણીને રોકવા માટે થઈને પાણીના વહેણની વચ્ચે પાળા બાંધી દેવામાં આવ્યા છે અને પાણી રોકી લેવામાં આવ્યું છે જેથી કરીને ત્યાં વાવવામાં આવેલ ચેરીયા વૃક્ષોને જરૂરી પાણી ન મળવાના કારણે પર્યાવરણને નુકશાન થાય છે અને હાલમાં આ અંગે તેમણે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પર્યાવરણને નુકસાન અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૨૮૩, ૪૪૭, ૧૧૪ અને ઇપી કલમ ૧૯૮૬ની કલમ ૧૫ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News