મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

હળવદમાં સગીરા સાથે  સામૂહિક દુષ્કર્મના ગુનામાં બે આરોપીને ૨૦ વર્ષની સજા


SHARE







હળવદમાં સગીરા સાથે  સામૂહિક દુષ્કર્મના ગુનામાં બે આરોપીને ૨૦ વર્ષની સજા

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં વર્ષ ૨૦૧૮ મા સગીરાનું રીક્ષામાં અપહરણ કરીને લઇ ગયા હતા અને તેની સાથે સામુહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જેની ફરિયાદ નોંધાઈ હતી અને આરોપીને પકડવામાં આવ્યા હતા જે કેસ મોરબીની સ્પેશિયલ પોકસો કોર્ટે ચાલી ગયો હતો જેથી આ કેસમાં કોર્ટે બે આરોપીને ૨૦ વર્ષની સજા ફટકારી છે અને ૫૧ હજારનો દંડ કર્યો છે.

હળવદ તાલુકામાં વર્ષે ૨૦૧૮ માં સગીરાનું આરોપી સંજય રઘુ રાણેવાડિયા, જુસબ ઉર્ફે અચો ઉર્ફે અસલમ સલીમભાઈ નારેજા અને રવિ જગદીશભાઈ મોરી નામના શખ્સો દ્વારા રીક્ષામાં અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ તેના હાથ પગ બાંધીને બાવળની કાટમા લઈ જઈને તે સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જે અંગેની સગીરાએ તેના માતા અને પિતાને જાણ કરી હતી ત્યાર બાદ હળવદ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે ગુન્હો નોંધીને આરોપીને ઝડપી લીધા હતા અને આ કેસ મોરબીની સ્પેશિયલ પોકસો કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ સંજય સી.દવે અને નીરજ ડી.કારીયાએ કરેલી દલીલો તેમજ ૨૪ મૌખિક અને ૪૭ દસ્તાવેજી પુરાવાને ધ્યાને લઇને કોર્ટે આરોપી સંજય રઘુ રાણેવાડિયા, જુસબ ઉર્ફે અચો ઉર્ફે અસલમ સલીમભાઈ નારેજાને ૨૦ વર્ષની સજા ફટકારી છે અને ૫૧ હજારનો દંડ કરેલ છે અને આ કેસ કોર્ટમાં ચાલુ હતો દરમ્યાન કાયદાના સંઘર્ષમાં આવેલ સગીરનું ચાલુ કેસ દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. વધુમાં કોર્ટે વિકટીમને ચાર લાખ કંપેસેશન તેમજ આરોપીઓને ફટકારવામાં આવેલ દંડની રકમ આપવાનો પણ આદેશ કરેલ છે.






Latest News