મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીના બાયપાસ રોડ ઉપરથી 10 જેટલા કાચા પાકા દબાણોને મનપાની ટીમે તોડી પાડ્યા મોરબીમાં ઘરેલુ હિંસાથી પીડિત સગર્ભા મહિલાને અજુગતુ પગલુ ભરતા બચાવતી 181 અભયમ ટીમ વાંકાનેરમાં મંદિરના નવનિર્માણના નામે જુદાજુદા બે લક્કી ડ્રોની ટિકિટોનું વેચાણ કરતો એજન્ટ પકડાયો: 13 સામે ગુનો નોંધાયો મોરબીના નીચી માંડલ પાસે રોડ ક્રોસ કરતાં યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લેતા પગમાં 3 ફ્રેકચર: વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા ટંકારાના સાવડી ગામ પાસે બાઇક ચાલકે સાયકલને ટક્કર મારતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત વાંકાનેર-માળીયા તાલુકા અને મોરબી શહેરમાં વિદેશી દારૂની 4 રેડ: દારૂની નાની મોટી 30 બોટલ કબ્જે
Breaking news
Morbi Today

વાંકાનેરમાં સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા બ્રહ્મસમાજ કા રાજદુલારા ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન


SHARE











વાંકાનેરમાં સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા બ્રહ્મસમાજ કા રાજદુલારા ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન

વાંકાનેર ખાતે સમસ્ત બ્રહ્મસમાજ આયોજિત બ્રહ્મસમાજ કા રાજદુલારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નિત્યક્રમ મુજબ સાંજે ૮-૦૦ વાગ્યે સંધ્યા મહા આરતીમા ભૂદેવો સાથે ધાર્મિક, સામાજિક,રાજકીય આગેવાનો  ઉપસ્થિત રહે છે. દરરોજ સાંજે મહા આરતી બાદ ગણેશદાદાને  પ્રિય પ્રસાદ એવા મોદકનો પ્રસાદ વિતરણ કરવામાં આવે છે. સાથે રાસ ગરબા પણ યોજાઇ છે

શહેરના ગાયત્રી મંદિરના મહંત અશ્વિનભાઈ રાવલ, રુગનાથજી મંદિરના રેવાદાસ બાપૂ, ફળેશ્વર મંદિરના મહંત વિશાલભાઈ પટેલબાપુ, રાજગુરુ નાગાબાવાજી મંદિરના પૂજારી જગદીશબાપુ સહિતના મંદિરના મહંતો તેમજ વાકાનેર રાજવી પરિવારના  મહારાણા રાજસાહેબ કેશરીદેવસિંહજી ઝાલા, મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજના આગેવાનોના ભુપતભાઈ પંડ્યા, મુકેશભાઈ રાજ્યગુરુ, ચિંતનભાઈ ભટ્ટ, એન.એન.ભટ્ટ, વાકાનેર સમસ્ત બ્રહ્મસમાજના આગેવાનો રજનીભાઇ રાવલ, સુરેશભાઈ ભટ્ટ, અમરસીભાઈ મઢવી, મહેન્દ્રભાઈ આચાર્ય, દીપકભાઈ ઠાકર, કિશનભાઇ ભટ્ટ, પુસ્કરભાઈ ત્રિવેદી, રાજુભાઈ રાવલ, જયેશભાઈ ઓઝા સહિતના ભૂદેવો હાજર રહ્યા હતા. અને મહાઆરતી બાદ ઉપસ્થિત મહારાણા રાજસાહેબ કેશરીદેવસિંહજી ઝાલા તથા ઉપસ્થિત સંતો મહંતો તથા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજના આગેવાનોનું સાલ તથા ફૂલહારથી સન્માન કરાયું હતું. આ આયોજનને સફળ બનાવવા માટે બ્રહ્મસમાજ કા રાજદુલારા ગણેશ મહોત્સવ સમિતિના ભરતભાઈ ઓઝા, બાબુભાઈ રાજગોર, રાજુભાઈ મઢવી, પ્રવીણભાઈ દાદર, અમિતભાઈ ભટ્ટ, પ્રિયંક રાવલ , દુષ્યંત ઠાકર,યોગેશ પંડયા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.






Latest News