મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

હળવદના ચૂંપણી ગામે પરિણીતાએ જીવન ટૂંકાવ્યું: બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી


SHARE











હળવદના ચૂંપણી ગામે પરિણીતાએ જીવન ટૂંકાવ્યું: બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવેલા ચૂંપણી ગામે રહેતી પરિણિતાએ તેના ઘરે ગળેફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને પરિણીતાનું મોત નીપજ્યું હતું જેના પગલે તેના ડેડબોડીને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યું હતું અને હાલ મળતી માહિતી પ્રમાણે મૃતકની માનસિક બીમારીની દવા ચાલુ હતી અને થોડા સમય પહેલા પણ મૃતકે આપઘાતની કોશિશ કરી હતી જોકે તે સમયે તેણીનો બચાવ થઈ ગયો હતો અને ગઈકાલે તેણીએ પુન: અંતિમ પગલુ ભરી લેતા તેણીનું મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.

બનાવ અંગે વધુમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ હળવદના ચૂંપણી ગામે રહેતા ભાવનાબેન ઉકાભાઇ મકવાણા નામની ૩૦ વર્ષીય મહિલાએ તેના ઘરે ગળેફાંસો ખાઈ લેતા તેણીને બેભાન હાલતમાં સારવાર માટે મોરબીની સિવિલે લાવવામાં આવી હતી જો કે અહીં જોઈ તપાસીને ડોક્ટરે તેણીને મૃત જાહેર કરી હતી અને બનાવ અંગે એ ડિવિઝન પોલીસમાં જાણ કરી હતી.જેથી એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ પહોંચીને તપાસ હાથ ધરી હતી અને તેમા ખુલ્યું હતું કે, મૃતક ભાવનાબેન મકવાણાની છેલ્લા ત્રણેક માસથી માનસિક બીમારીની દવા ચાલુ હતી અને અગાઉ અઢી મહિના પહેલા પણ તેઓએ આપઘાત કરવા માટે પ્રયત્ન કર્યો હતો જો કે તે સમયે તેઓ બચી ગયા હતા અને ગઈકાલે પુન: તેઓએ ગળેફાંસો ખાઈ લેતા ભાવનાબેન મકવાણાનું મોત નિપજયુ હતું હાલ તેઓના મોતના પગલે બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી છે.બનાવ અંગે આગળની તપાસ માટે મોરબી પોલીસે હળવદ પોલીસને જાણ કરી હતી.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના રવાપર રોડ ઉપર શક્તિ રેસીડેન્સી વિસ્તારમાં રહેતા કશ્યપ પી. ધુમલીયા નામના ૨૫ વર્ષના યુવાનને મોરબીના રવાપર રોડ બાપાસીતારામ ચોક પાસે બાઈક સાથે બાઇક અથડાવાના બનેલ અકસ્માત બનાવમાં ઇજાઓ થતા તેને અહીંની આયુષ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો બનાવને પગલે સારવાર કરવામાં આવ્યા બાદ હોસ્પિટલ દ્વારા સીટી એ ડિવિઝન પોલીસમાં જાણ કરવામાં આવતા એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.ફુલતરીયા દ્વારા નોંધ કરીને આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે. જ્યારે મોરબીના રહેવાસી લાલજીભાઈ નામના ૩૦ વર્ષના યુવાનને બાઈક લઈને જતા સમયે બાઇક સ્લીપ થઈ જતા સર્જાયેલ અકસ્માત બનાવમાં ઈજા થતા શહેરના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલએ સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને હાલ આ બનાવ અંગે તાલુકા પોલીસ દ્વારા નોંધ કરીને આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.






Latest News