અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ
Breaking news
Morbi Today

ટંકારાના મોટા રામપર (મહેન્દ્રપુર) શ્રી નારીચાણીયા હનુમાનજી મંદિરના જીર્ણોદ્ધાર નિમિત્તે પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે


SHARE





ટંકારાના મોટા રામપર (મહેન્દ્રપુર) શ્રી નારીચાણીયા હનુમાનજી મંદિરના જીર્ણોદ્ધાર નિમિત્તે પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે

ટંકારા તાલુકાના મોટા રામપર (મહેન્દ્રપુર) ગામે બિરાજમાન અને નાના રામપર, ઉમિયાનગર, નશીતપર એમ ચારેય દિશાઓમાં રક્ષણ અને પોષણ કરતા શ્રી નારીચાણીયા હનુમાનજી મંદિરનો જીર્ણોદ્ધાર કાર્ય પુર્ણ થવાના પાવન અવસર ઉપર ત્રિદિવસીય પુનઃપ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો છ.જેમા રામ-લક્ષ્મણ જાનકી તથા શિવ પરિવારના પાર્વતીજી, ગંગાજી કુર્મ નારાયણ નંદી કેસ્વર તેમજ નિર્માણ થયેલ ભવ્ય મંદિર નિર્માણ થયેલ છે.આ મંગલમય ત્રણ દિવસના મહાયજ્ઞમાં શ્રી નારીચાણીયા હનુમાનજીની કૃપા પ્રસન્નતા અને આશિર્વાદ મેળવવા સૌને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવેલ છે.જેમા પ્રથમ દિવસ તા.૨૯ ના ગણપતિ પુજન પુણયવાચન, માતૃકા પુજન નાન્દી શ્રાદ્ધ આચાર્યાદી ત્રુત્વિજવરણ ધર્મરક્ષક શક્તિપુજા, યજ્ઞ મંડપ પ્રવેશ બપોરે અગ્નિ પ્રાગટ્ય, તા.૩૦ ને દ્રિતીય દિવસે સ્થાપિત દેવ પુજા જલયાત્રા, ગ્રામરક્ષક ગુરૂ પાદુકા પૂજન, દેવ શોભાયાત્રા જલાધિવાસ, હલાધિવાસ પુષ્પા દિવસ, ધાન્ય ધિવાસ, શયના ધિવાસ, થાળ, આરા યોજાયેલ તેમજ તૃત્ય દિવસ તા.૧ ને સોમવારે સવારે ૮-૩૦ વાગ્યે દેવ જાગૃતિ, સ્નપનસ્નાન, ન્યાય પિઠીકાપુજન, શિખર પુજન બાદ બપોરે ૧૨-૧૫ વાગ્યે દેવસ્થાપન, પ્રર્તિષ્ઠા, પ્રાણપુરણ અને સાંજે ૪ વાગ્યે ઉતર પુજન, બલિદાનના કાર્યક્રમો યોજાયા હતા.




Latest News