મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં રાહદારી મહિલાને હડફેટે લઈને મોત નિપજાવનાર બાઇક ચાલકની ધરપકડ


SHARE











મોરબીમાં રાહદારી મહિલાને હડફેટે લઈને મોત નિપજાવનાર બાઇક ચાલકની ધરપકડ

મોરબીમાં ત્રાજપરના ઓવરબ્રિજ પાસે ફુલ સ્પીડમાં જતા બાઈક ચાલકે રાહદારી આધેડ મહિલાને હડફેટે લીધા હતા અને મહિલાને ગંભીર ઇજા થઇ હતી જેથી કરીને મહિલાનું મોત નીપજ્યું હતું તેમજ બાઈક સવાર યુવાનને પણ ઇજા થઈ હતી ત્યાર બાદ આ બનાવમાં મૃતક મહિલાના પતિએ બાઇક ચાલકની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર ઓવરબ્રિજ નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં કમળાબા હસ્તસિંહ ઝાલા (૫૦) ચાલીને જતાં હતા ત્યારે તેમને બાઈક ચાલક રોહન પુનાભાઈ બથવાર (૨૦) રહે. કુબેર ટોકીઝ પાછળ વાંકાનેર હાઇવે સામાકાંઠે મોરબી-૨ વાળાએ હડફેટે લીધા હતા જેથી મહિલાને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજા થતાં તેનું સારવારમાં મોત નીપજયું હતું જેથી કરીને બી ડિવિઝન પોલીસ સ્ટેશને મૃતક મહિલાના પતિ હસ્તસિંહ ભારતસિંહ ઝાલા જાતે. દરબાર (૫૮)એ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપી રોહન પુનાભાઈ બથવાર (૧૯) રહે. કુબેર ટોકીઝ પાછળ વાંકાનેર હાઇવે સામાકાંઠે મોરબી-૨ વાળાની પીએસઆઈ જે.એલ.ઝાલા દ્વારા ધરપકડ કરવામાં આવી છે

મારામારીમાં ઇજા

મોરબી નજીકના ધરમપુર ગામે શેરીમાંથી ચાલવા બાબતે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ મારામારીનો બનાવ બન્યો હતો જેમાં બીપીનભાઈ મનજીભાઈ કુંવરિયા (૩૫), શિલ્પાબેન વાલજીભાઈ થરેસા (૨૫) અને જગદીશભાઈ વાલજીભાઈ થરેસા (૨૫) ને ઇજાઓ થઇ હોવાથી ત્રણેય ઈજાગ્રસ્તોને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એમ.એલ. બારૈયા દ્વારા હાથ ધરવામાં આવી હતી






Latest News