મોરબીના મોડપર ગામે હનુમાન જયંતિના દિવસે હનુમાન મંદિરે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞ યોજાયો મોરબી જિલ્લામાં ત્રણ તાલુકાની 124 બેઠકો માટે ભાજપમાં 237 દાવેદાર: આજે બે તાલુકા પંચાયત, બે તાલુકાની જિલ્લા પંચાયતની બેઠકો અને એક પાલિકાની બેઠક માટે સેન્સ લેવાશે ગેસ કંપનીએ રોન કાઢી !: ગુજરાત ગેસ કંપનીએ મોરબીમાં સિરામિક ઉદ્યોગના કાયમી-આપદા સમયે આવેલ ગ્રાહકો માટે આપેલા ગેસના ભાવમાં જમીન આસમાનનો તફાવત હળવદના ભલગામડા-દીઘડીયા રોડે ડબલ સવારી બાઇક સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં એકનું મોત ટંકારાના ઓટાળા ગામે ખેતરના શેઢાની જમીન માપણીના મનદુખમાં સામસામે મારા મારી: હવે બંને પક્ષેથી ફરિયાદ ટંકારાના લતીપર રોડે ટ્રક સાથે બાઇક અથડાતાં બાઇક ચાલકનું મોત મોરબીના ખાખરાળા ગામ પાસે બસમાંથી ઉતરીને રોડ ક્રોસ કરતાં બે મહિલા સહિત 4 પૈકીનાં 3 લોકોને કાર ચાલકે ઉડાવ્યા મોરબીમાં દેશી-વિદેશી દારૂની 3 રેડમાં 2.09 લાખથી વધુનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબીમાં રાહદારી મહિલાને હડફેટે લઈને મોત નિપજાવનાર બાઇક ચાલકની ધરપકડ


SHARE











મોરબીમાં રાહદારી મહિલાને હડફેટે લઈને મોત નિપજાવનાર બાઇક ચાલકની ધરપકડ

મોરબીમાં ત્રાજપરના ઓવરબ્રિજ પાસે ફુલ સ્પીડમાં જતા બાઈક ચાલકે રાહદારી આધેડ મહિલાને હડફેટે લીધા હતા અને મહિલાને ગંભીર ઇજા થઇ હતી જેથી કરીને મહિલાનું મોત નીપજ્યું હતું તેમજ બાઈક સવાર યુવાનને પણ ઇજા થઈ હતી ત્યાર બાદ આ બનાવમાં મૃતક મહિલાના પતિએ બાઇક ચાલકની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર ઓવરબ્રિજ નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં કમળાબા હસ્તસિંહ ઝાલા (૫૦) ચાલીને જતાં હતા ત્યારે તેમને બાઈક ચાલક રોહન પુનાભાઈ બથવાર (૨૦) રહે. કુબેર ટોકીઝ પાછળ વાંકાનેર હાઇવે સામાકાંઠે મોરબી-૨ વાળાએ હડફેટે લીધા હતા જેથી મહિલાને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજા થતાં તેનું સારવારમાં મોત નીપજયું હતું જેથી કરીને બી ડિવિઝન પોલીસ સ્ટેશને મૃતક મહિલાના પતિ હસ્તસિંહ ભારતસિંહ ઝાલા જાતે. દરબાર (૫૮)એ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપી રોહન પુનાભાઈ બથવાર (૧૯) રહે. કુબેર ટોકીઝ પાછળ વાંકાનેર હાઇવે સામાકાંઠે મોરબી-૨ વાળાની પીએસઆઈ જે.એલ.ઝાલા દ્વારા ધરપકડ કરવામાં આવી છે

મારામારીમાં ઇજા

મોરબી નજીકના ધરમપુર ગામે શેરીમાંથી ચાલવા બાબતે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ મારામારીનો બનાવ બન્યો હતો જેમાં બીપીનભાઈ મનજીભાઈ કુંવરિયા (૩૫), શિલ્પાબેન વાલજીભાઈ થરેસા (૨૫) અને જગદીશભાઈ વાલજીભાઈ થરેસા (૨૫) ને ઇજાઓ થઇ હોવાથી ત્રણેય ઈજાગ્રસ્તોને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એમ.એલ. બારૈયા દ્વારા હાથ ધરવામાં આવી હતી






Latest News