મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

કોરોનામાં સદગતી પામેલ લોકોની આત્મશાંતિ અર્થે મોરબી જિલ્લા બ્રહ્મસમાજ, પરશુરામધામ-પરશુરામ યુવા ગ્રુપ દ્વારા વિષ્ણુયાગનું આયોજન


SHARE







કોરોનામાં સદગતી પામેલ લોકોની આત્મશાંતિ અર્થે મોરબી જિલ્લા બ્રહ્મસમાજ, પરશુરામધામ-પરશુરામ યુવા ગ્રુપ દ્વારા વિષ્ણુયાગનું આયોજન

મોરબી જિલ્લા બ્રહ્મસમાજ,પરશુરામધામ તેમજ શ્રી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા વિષ્ણુયાગનું આયોજન કરવામાં આવ્યું હતુ.

કોરોના કાળ દરમિયાન જે બ્રાહ્મણ પરિવારોમાં કોઇ સભ્યનું મૃત્યુ થયેલ હોય અને કોરોના સમયને લીધે સદગતની અંતિમવિધિ તેમના પરિવારજનો વિધિવત રીતે ન કરી શક્યા હોય આવા સદગતોની આત્માની શાંતિ અર્થે મોરબી જિલ્લા બ્રહ્મસમાજ, પરશુરામ ધામ તેમજ શ્રી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા સંયુક્ત રીતે વિષ્ણુયાગનું આયોજન કરવામાં આવ્યું હતુ.જેમાં કુલ ૧૩ જેટલા યજમાનો જોડાયા હતા.આચાર્ય પદે વાઘપરવાળા શાસ્ત્રી કૌશિકભાઈ વ્યાસ બિરાજમાન થયા હતા. કાર્યક્રમને સફળ બનાવવા પરશુરામધામના પ્રમુખ ભૂપતભાઈ પંડ્યા, મોરબી જિલ્લા બ્રહ્મસમાજના પ્રમુખ ભરતભાઈ ઓઝા, પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ નિરજ ભાઈ ભટ્ટ, મહામંત્રી ધ્યાનેશભાઈ રાવલ, જિલ્લા મહામંત્રી ચિંતનભાઈ ભટ્ટ તથા યગ્નેશ જાની, આર્યન ત્રિવેદી મહિલા મંડળ પ્રમુખ નિલાબેન પંડિત સહીતના તમામ સભ્યોએ અથાક મહેનત કરી હતી.






Latest News