​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીના બાયપાસ રોડ ઉપરથી 10 જેટલા કાચા પાકા દબાણોને મનપાની ટીમે તોડી પાડ્યા મોરબીમાં ઘરેલુ હિંસાથી પીડિત સગર્ભા મહિલાને અજુગતુ પગલુ ભરતા બચાવતી 181 અભયમ ટીમ
Breaking news
Morbi Today

કોરોનામાં સદગતી પામેલ લોકોની આત્મશાંતિ અર્થે મોરબી જિલ્લા બ્રહ્મસમાજ, પરશુરામધામ-પરશુરામ યુવા ગ્રુપ દ્વારા વિષ્ણુયાગનું આયોજન


SHARE











કોરોનામાં સદગતી પામેલ લોકોની આત્મશાંતિ અર્થે મોરબી જિલ્લા બ્રહ્મસમાજ, પરશુરામધામ-પરશુરામ યુવા ગ્રુપ દ્વારા વિષ્ણુયાગનું આયોજન

મોરબી જિલ્લા બ્રહ્મસમાજ,પરશુરામધામ તેમજ શ્રી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા વિષ્ણુયાગનું આયોજન કરવામાં આવ્યું હતુ.

કોરોના કાળ દરમિયાન જે બ્રાહ્મણ પરિવારોમાં કોઇ સભ્યનું મૃત્યુ થયેલ હોય અને કોરોના સમયને લીધે સદગતની અંતિમવિધિ તેમના પરિવારજનો વિધિવત રીતે ન કરી શક્યા હોય આવા સદગતોની આત્માની શાંતિ અર્થે મોરબી જિલ્લા બ્રહ્મસમાજ, પરશુરામ ધામ તેમજ શ્રી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા સંયુક્ત રીતે વિષ્ણુયાગનું આયોજન કરવામાં આવ્યું હતુ.જેમાં કુલ ૧૩ જેટલા યજમાનો જોડાયા હતા.આચાર્ય પદે વાઘપરવાળા શાસ્ત્રી કૌશિકભાઈ વ્યાસ બિરાજમાન થયા હતા. કાર્યક્રમને સફળ બનાવવા પરશુરામધામના પ્રમુખ ભૂપતભાઈ પંડ્યા, મોરબી જિલ્લા બ્રહ્મસમાજના પ્રમુખ ભરતભાઈ ઓઝા, પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ નિરજ ભાઈ ભટ્ટ, મહામંત્રી ધ્યાનેશભાઈ રાવલ, જિલ્લા મહામંત્રી ચિંતનભાઈ ભટ્ટ તથા યગ્નેશ જાની, આર્યન ત્રિવેદી મહિલા મંડળ પ્રમુખ નિલાબેન પંડિત સહીતના તમામ સભ્યોએ અથાક મહેનત કરી હતી.






Latest News