મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

અભ્યારણ્ય વિભાગે અગરિયાઓને માટીના પાળા બનાવતા રોકતા હળવદના ટીકર રણમાં અગરિયાની બેઠક મળી


SHARE











અભ્યારણ્ય વિભાગે અગરિયાઓને માટીના પાળા બનાવતા રોકતા હળવદના ટીકર રણમાં અગરિયાની બેઠક મળી

હળવદના ટીકર રણમાં અગરિયા તેમનાં પ્રશ્ર્નોની ચર્ચા કરવા ભેગા થયાં હતા જેમાં ભરતીના પાણી રોકવા સેફ્ટી પાળો બાંધવા અભ્યારણ્ય વિભાગે વાંધો લેતા અગરિયાઓએ ચુંટાયેલા પ્રતિનિધિઓને સામુહિક રીતે રજુઆત કરી હતી અને માર્ચ મહિનામાં સૂરજબારીથી ભરતીનું પાણી રણમાં આવે છે જે ઘાટીલાજોગડ થી ટીકર સુધીના અગરોમાં પહોંચી જાય છે અને વર્ષોથી અગરિયા સ્વખર્ચે માટીનો સેફ્ટી પાળો બાંધી પોતાનું અગર  બચાવી લેતાં હતાં. જો કે, આ વર્ષે અભ્યારણ્ય વિભાગે આવો પાળો બનાવવાની અગરિયાઓને અટકાવ્યા છે જેથી કરીને અગરિયા મૂંઝવણમાં મુકાયા છે. 

હાલમાં પવનનો વેગ જોરદાર હોવાથી પાણી છેક અગરો સુધી પાણી આવી પહોંચ્યું છે તયારે જો પાળો બાંધવા નહી દેવામાં આવે તો અગરિયાના મોઢામાં આવેલો કોળીયો ઝુંટવી લીધા જેવી પરિસ્થિતિ થશે તેવું અગરિયાઓ કહી રહ્યા છે વધુમાં અગરિયા  એનજીઓ તેમજ હાઇકોર્ટમાં રણ અંગે થયેલ કેસ વીશે ચર્ચા કરી અને અભ્યારણ્ય વિભાગ દ્વારા હક્ક દાવા મંજૂર થયેલા અગરિયાઓને કાયદેસર ગણવા તેમજ રણના અગરિયાઓ પાસે પુરાવા માંગવાઅન્ય રણ વિસ્તારોમાં અગરિયાઓને ગેરકાયદેસર ગણી બહાર કાઢવાની અભ્યારણ્ય વિભાગ દ્વારા થયેલ પ્રયાસો અંગે ચિંતા વ્યક્ત કરી હતી વધુમાં તેઓએ કહ્યું હતું કે જયારે ૧૯૪૮ માં ભારત સરકારે ખુદ ૧૦ એકર અગરિયાઓ કોઈ પુરાવાનોંધણીની જરૂર નથી તેવું કહ્યું હતું ત્યારે સ્વાભાવિક છે કે એમની પાસે પુરાવા ન હોય, અગરિયાઓને જોઈને ઘુડખર ક્યારેય ભાગતું નથી. તે અને અમે સાથે રણમાં રહીએ છીએ અને ઘુડખરની સંખ્યા વધી છે તેનો અમોને આનંદ છે.

અગરિયા સમૂદાય રણમાં પણ ચકલીઓને દાણા તેમનાં માટે ઘર કરવાનું ભૂલતાં નથી. અગરિયા સમુદાયને કાયમી ધોરણે આજીવિકાની સુરક્ષિતતા મળે તે માટે સામૂહિક રીતે લડત આપવાનું નકકી કર્યું છે  વધુમાં કહ્યું હતું કે અગરિયાઓ સદીઓથી રણમાં છે અને મીઠુંએ તેમની આજીવિકા છે. અને અગરિયાનું મીઠું પાકે એટ્લે તે સમયસર રણમાંથી બહાર નીકળવાનું તેટલું જ જરૂરી જયારે આજે અભ્યારણ્ય વિભાગે રણમાંથી મીઠું બહાર કાઢવા પર અનેક પ્રશ્ર્નો ઊભા કર્યા છે. છે અને ફરી સાંતલપુર સહિત કેટલાક વિસ્તારોમાં વિભાગે મીઠું લઈ જવાની મનાઈ ફરમાવી હતી. જેથી કરીને અગરિયા આ પ્રકારના પ્રશ્નો અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને સાથે મળીને વિભાગ અને સરકાર સાથે સંવાદ કરવાનો અને લડત આપવાનો નિણર્ય લેવામાં આવ્યો છે






Latest News