મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

ટંકારા તાલુકાના વિરવાવ ગામે ખુલ્લા પ્લોટમાંથી સોલારની ૧૫૫ પેનલોની ચોરી: તસ્કરો ૨૭.૩૦ લાખનો મુદ્દામાલ ચોરી ગયા


SHARE











ટંકારા તાલુકાના વિરવાવ ગામે ખુલ્લા પ્લોટમાંથી સોલારની ૧૫૫ પેનલોની ચોરી: તસ્કરો ૨૭.૩૦ લાખનો મુદ્દામાલ ચોરી ગયા

ટંકારા તાલુકાના વિરવાવ ગામે ખુલ્લા પ્લોટમાં સોલાર પાવર પ્લાન્ટની પેનલો મૂકવામાં આવી હતી જેમાંથી ૧૫૫ પેનલોની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ૨૭.૩૦ લાખથી વધુના મુદ્દા માલની ચોરી થઈ હોવા અંગેની હાલમાં કંપની કર્મચારી દ્વારા અજાણ્યા શખ્સની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીઝ શરૂ કરેલ છે

બનાવનીા મળતી માહિતી મુજબ રાજકોટમાં પુષ્કળધામ રોડ ઉપર આવેલ વ્રજવાટિકા ફ્લેટ નંબર ૧૦૧ માં રહેતા ખીલનભાઈ હરેશભાઈ સાવલિયા જાતે પટેલ (ઉંમર વર્ષ ૨૪) એ અજાણ્યા શખ્સની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે તેઓની ઓનિક્સ સ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ કંપનીની સોલાર પાવર પ્લાન્ટ ઼ની પેનલો ગત તા ૧૪/૩/૨૦૨૩ ના સાંજથી લઈને બીજા દિવસે સવારના આઠ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન ટંકારા તાલુકાના વીરવાવ ગામે વિક્રમસિંહ ચંદુભા જાડેજાના ખુલ્લા પ્લોટમાં મૂકવામાં આવી હતી જે પેનલોમાંથી ૧૫૫ જેટલી પેનલોની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ૨૭,૩૦,૭૨૮ રૂપિયાની કિંમતનો મુદ્દા માલ ચોરી કરવામાં આવ્યો હોય કંપનીના કર્મચારી દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે ટંકારા પોલીસે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

સાસરીયાનો ત્રાસ

મોરબીના રવાપર ગામે આવેલ ગોલ્ડન માર્કેટની પાછળના ભાગમાં વૈભવ લક્ષ્મી સોસાયટીમાં આવેલ રામેશ્વર એપાર્ટમેન્ટ બ્લોક નંબર ૫૦૨ માં હાલમાં રહેતા વંદનાબેન રજનીકુમાર ભીમાણી (ઉંમર ૩૪)એ હાલમાં તેના પતિ રજનીકુમાર ગીરીશભાઈ ભીમાણી, સસરા ગીરીશભાઈ પીતાંબરભાઈ ભીમાણી અને સાસુ સરોજબેન ગિરીશભાઈ ભીમાણી રહે. બધા જ નવસારી વાળાની સામે મોરબી મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, ઘરકામ બાબતે તેમજ કરિયાવર બાબતે મેણા ટોણા મારીને શારીરિક માનસિક દુઃખ ત્રાસ આપતા હતા જેથી કરીને હાલમાં મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે તેના પતિ સહિત ત્રણ સામે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News