મોરબીની ગીતાંજલી વિધાલયમાં વિદ્યાર્થીઓ-વાલીઓ માટે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા ચાલતા સીવણ કેન્દ્રમાં તાલીમ લીધેલ બહેનોને પ્રમાણપત્ર અપાયા મોરબીમાં અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને ૧૦ લાખનો વીમો વ્યાજ સહિત ચૂકવવા ગ્રાહક અદાલતનો આદેશ મોરબીની પી.જી.પટેલ કોલેજમાં સંવિધાન હત્યા દિવસ અંતર્ગત વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી મોરબી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી રચના કરવા ધારાસભ્યએ કરેલી રજૂઆત ફળી મોરબી જીલ્લામાં મેલેરીયા વિરોધી માસની ઉજવણી અંતર્ગત સઘન સર્વેલન્સની કામગીરી કરાઈ મોરબી જિલ્લામાં 31 જુલાઇ સુધી હથિયારબંધી: 4 થી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા મૂકવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
Breaking news
Morbi Today

વાંકાનેરના જીનપરામાં બંધ મકાનમાથી રોકડ-દાગીના મળીને ૯૬૦૦૦ના મુદામાલની ચોરી


SHARE















વાંકાનેરના જીનપરામાં બંધ મકાનમાથી રોકડ-દાગીના મળીને ૯૬૦૦૦ના મુદામાલની ચોરી

વાંકાનેર શહેરના જીનપરા વિસ્તારમાં રોકડિયા હનુમાન મંદિરની પાછળના ભાગમાં આવેલ બંધ મકાનમાં પ્રવેશ કરીને અજાણ્યા શખ્સો રોકડ તેમજ સોનાના દાગીનાની ચોરી કરેલ છે જેથી કરીને ભોગ બનેલા આધેડે હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે તેના ઘરમાંથી ૯૬ હજાર રૂપિયાના મુદ્દામાલ ચોરી થઇ હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તેને તરત જ શરૂ કરે છે 

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મૂળ કર્ણાટકના હુબલી તાલુકાના મયુરનગરના રહેવાસી અને હાલમાં વાકાનેર જીનપરા વિસ્તારમાં રોકડીયા હનુમાન મંદિરની પાસે વિજયભાઈ રાઠોડના શ્રીહરિ નામના મકાનની અંદર રહેતા ઇરાન્ના ચંદ્રશેખર ખુદશદ જાતે હિન્દુ બાવાજી (ઉંમર વર્ષ ૫૦)એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેઓના મકાનની છત ઉપરથી સીડી વડે ઘરમાં પ્રવેશ કરીને કોઈ અજાણ્યા શખ્સ દ્વારા તેઓના કબાના ખાનામાંથી રોકડા રૂપિયા ૧૫૦૦૦ તેમજ સોનાની ચેન ૪૭ હજાર રૂપિયાની કિંમતની અને સોનાનું બ્રેસલેટ ૩૪૦૦૦ ની કિંમત આમ સોનાના દાગીના અને રોકડ રકમ થઇને કુલ ૯૬૦૦૦ ની ચોરી કરવામાં આવે છે જેથી કરીને હાલમાં વાંકાનેર સીટી પોલીસે ભોગ બનેલા આધેડની ફરિયાદ લઈને આરોપીને પકડવામાં તજવીજ શરૂ કરી છે






Latest News