ગાંધીનગર ખાતે સરકાર સાથે ચર્ચા કરવા જવાનો મોરબીના જેતપર ગામના ખેડૂતોનો ઇનકાર: યોગ્ય વળતર માટે 6 સ્પષ્ટ માંગણી ખેડૂતોએ મોકલવી દીધી મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ
Breaking news
Morbi Today

વાંકાનેરના જીનપરામાં બંધ મકાનમાથી રોકડ-દાગીના મળીને ૯૬૦૦૦ના મુદામાલની ચોરી


SHARE











વાંકાનેરના જીનપરામાં બંધ મકાનમાથી રોકડ-દાગીના મળીને ૯૬૦૦૦ના મુદામાલની ચોરી

વાંકાનેર શહેરના જીનપરા વિસ્તારમાં રોકડિયા હનુમાન મંદિરની પાછળના ભાગમાં આવેલ બંધ મકાનમાં પ્રવેશ કરીને અજાણ્યા શખ્સો રોકડ તેમજ સોનાના દાગીનાની ચોરી કરેલ છે જેથી કરીને ભોગ બનેલા આધેડે હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે તેના ઘરમાંથી ૯૬ હજાર રૂપિયાના મુદ્દામાલ ચોરી થઇ હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તેને તરત જ શરૂ કરે છે 

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મૂળ કર્ણાટકના હુબલી તાલુકાના મયુરનગરના રહેવાસી અને હાલમાં વાકાનેર જીનપરા વિસ્તારમાં રોકડીયા હનુમાન મંદિરની પાસે વિજયભાઈ રાઠોડના શ્રીહરિ નામના મકાનની અંદર રહેતા ઇરાન્ના ચંદ્રશેખર ખુદશદ જાતે હિન્દુ બાવાજી (ઉંમર વર્ષ ૫૦)એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેઓના મકાનની છત ઉપરથી સીડી વડે ઘરમાં પ્રવેશ કરીને કોઈ અજાણ્યા શખ્સ દ્વારા તેઓના કબાના ખાનામાંથી રોકડા રૂપિયા ૧૫૦૦૦ તેમજ સોનાની ચેન ૪૭ હજાર રૂપિયાની કિંમતની અને સોનાનું બ્રેસલેટ ૩૪૦૦૦ ની કિંમત આમ સોનાના દાગીના અને રોકડ રકમ થઇને કુલ ૯૬૦૦૦ ની ચોરી કરવામાં આવે છે જેથી કરીને હાલમાં વાંકાનેર સીટી પોલીસે ભોગ બનેલા આધેડની ફરિયાદ લઈને આરોપીને પકડવામાં તજવીજ શરૂ કરી છે






Latest News