મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

મોરબી અને વાંકાનેરમાં શ્રમિકોની માહિતી ન આપતા વધુ ત્રણ સામે ફરિયાદ


SHARE











મોરબી અને વાંકાનેરમાં શ્રમિકોની માહિતી ન આપતા વધુ ત્રણ સામે ફરિયાદ

મોરબી જીલ્લામાં પરપ્રાંતીય મજૂરોની માહિતી ઓનલાઇન પોર્ટલમાં અપલોડ કરવામાં માટે વારંવાર કહેવામા આવે છે તો પણ માહિતી ઘણા આપતા નથી જેથી કરીને ગુના નોંધવામાં આવી રહ્યા છે આવી જ રીતે આજે વાંકાનેર અને મોરબીમાં ત્રણ ગુના નોંધાયેલ છે

વાંકાનેર નજીક હસનપર ગામની સીમમાં આવેલ ફ્યુચર રીફેક્ટરીઝ નામના કારખાનામાં કોન્ટ્રાક્ટ રાખનાર કોન્ટ્રાક્ટરે તેની નીચે કામ કરતા મજૂરોની મોરબી એસયોર્ડ એપ્લિકેશનમાં માહિતી અપલોડ કરી ન હતી અને આધાર પુરાવા લીધા હતા જેથી કરીને કોન્ટ્રાક્ટર મિહિરભાઈ અશોકભાઈ રાવલ જાતે બ્રાહ્મણ (૩૦) રહે. આરોગ્યનગર વાંકાનેર વાળાની સામે ગુનો નોંધાયો છે આવી જ રીતે મોરબી નજીકના સનાળા ગામ પાસે જીઆઇડીસીમાં એસપી પ્રોફાઈલ નામના કારખાનામાં કામ કરતાં માણસોની માહિતી ઓનલાઇન પોર્ટલમાં અપલોડ કરવામાં આવી ન હતી જેથી દિવ્યેશભાઈ ઝવેરભાઈ ચાડમીયા જાતે.પટેલ (૨૪) રહે. કંડલા બાઇપાસ પાપાજી ફન વર્લ્ડ સામે ધર્મલાભ સોસાયટી મોરબી વાળાની સામે ગુનો નોંધાયો છે તો વાંકાનેરમાં કડિયા કામનો કોન્ટ્રાક્ટ રાખનારા યુવાને તેની નીચે કામ કરતાં મજૂરોની માહિતી ઓનલાઈન પોર્ટલમાં અપલોડ કરી ન હતી જેથી કોન્ટ્રાક્ટર પરવેઝભાઈ ઈબ્રાહીમભાઇ શેરસીયા જાતે મોમીન (૨૯) રહે. ચંદ્રપુર તાલુકો વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાયેલ છે

અકસ્માતમાં ઇજા
મોરબી વાંકાનેર હાઈવે ઉપર આવેલ રફાળેશ્વર ગામ પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં મકાનસર ગામે રહેતા યાસીન યુનુસભાઈ ખલીફા (૨૫) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી સિવિલ હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા
મોરબી નજીકના રફાળેશ્વર ગામે ચોકડી પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં નિલેશભાઈ ખોડાભાઈ પાંચિયા (૨૦) નામના યુવાનને ઇજા કરી હતી જેથી ઈજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી સિવિલ હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને હાલમાં આ બનાવની આગળની તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એ.એમ. ઝાપડિયા ચલાવી રહ્યા હોવાનું જાણવા મળેલ છે






Latest News