મોરબીના અજય લોરીયાની ક્રાઈમ કુંડળી સાથે સિરામિક ઉદ્યોગકારો-પાટીદાર સમાજના આગેવાનોએ એસપીને કરી રજૂઆત: ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા આહ્વાન મોરબી જિલ્લામાં ત્રણ તાલુકા પંચાયત, ત્રણેય તાલુકાની જિલ્લા પંચાયતની બેઠક અને બે પાલિકાની ચૂંટણી લડવા માટે દાવેદારોનો રાફડો ફાટયો મોરબીના લૂંટાવદર ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા છ પકડાયા મોરબીમાં લગ્નના બહાને કરવામાં આવેલ વિશ્વાસધાત-છેતરપીડીના ગુનામાં પકડાયેલ બે આરોપી જામીન મુક્ત મોરબીમાં સીરામીક ઉદ્યોગપતિ સહિત બે વ્યક્તિ ઉપર જીવલેણ હુમલો કરવાના ગુનામાં પકડાયેલ અજય લોરીયા જેલ હવાલે મોરબીમાં ફોરવ્હીલ ગાડીના ટાયરમાંથી હવા કાઢી નાખવા બાબતે થયેલ ઝઘડાનો ખાર રાખીને મહિલાને ત્રણ મહિલા સહિત 6 લોકોએ માર માર્યો મોરબીના રંગપર ગામ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે હડફેટે માથા-મોઢામાં ઇજા પામેલા યુવાનનું મોત વાંકાનેરના જોધપર પાસે જેસીબીના ચાલકે રિક્ષાને ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં એક તરૂણીનું મોત: 4 ને ઇજા
Breaking news
Morbi Today

વાંકાનેરના યુવાને ચોટીલાના ગેસ્ટ હાઉસમાં અંતિમ પગલું ભરી લેતા મોત


SHARE











વાંકાનેરના યુવાને ચોટીલાના ગેસ્ટ હાઉસમાં અંતિમ પગલું ભરી લેતા મોત

ચોટીલા યાત્રાધામમાં હાઇવે ઉપરનાં એક ગેસ્ટ હાઉસમાં વાકાનેરનાં યુવાને ગળેફાંસો ખાઇ આત્મઘાત કરી લીધાની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત પ્રાથમિક માહિતી મુજબ વાકાનેરનાં નવા પરામાં રહેતો 24 વર્ષનો યુવાન કાનજીભાઈ પ્રેમજીભાઇએ બુધવારના ચોટીલા હાઇવે ઉપર આવેલ આકાશ પેલેસ ગેસ્ટ હાઉસનાં રૂમમાં ઉતર્યા હતા જે ગુરૂવારનાં બપોર સુધી રૂમ બહાર ન નિકળતા સંચાલકને અજુગતું લાગતા પોલીસને જાણ કરતા પોલીસે બીજી ચાવી વળે રૂમ ખોલતા યુવાન પંખા સાથે લટકતી હાલતમાં મૃત્યું પામેલ હાલતમાં મળી આવતા લાશને ઉતારી પીએમ માટે ખસેડવામાં આવેલ હતી.

મરણ જનારના પરિવારજનોએ આત્મહત્યા અંગે કોઇ જ કારણ ન હોવાનું જણાવ્યું છે પોલીસે પ્રાથમિક તપાસમાં યુવાન સામાન્ય પગારમાં મોબાઇલ શોપમાં નોકરી કરતો પરંતું મોંઘા મોબાઇલ ફોન સહિતની વૈભવી લાઇફ સ્ટાઇલ હોવાનું જણાવ્યું છે. તેમજ આત્મહત્યા અંગે એડી દાખલ ગેસ્ટ હાઉસ તેમજ પરિવારજનો ને આત્મહત્યા અંગે કરી વધુ તપાસ હાથ ધરી છે






Latest News