મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીના ટીંબડી ગામે રામાનંદીય સાધુ સેવા સમિતિ દ્વારા આયોજિત સમુહલગ્નોત્સવ સંપન્ન


SHARE







મોરબીના ટીંબડી ગામે રામાનંદીય સાધુ સેવા સમિતિ દ્વારા આયોજિત સમુહલગ્નોત્સવ સંપન્ન

મોરબીના ટીંબડી ગામે રામાનંદીય સાધુ સેવા સમિતિ દ્વારા પ્રથમ સમૂહલગ્તોસવનુ જાજરમાન આયોજન કર્યું હતુ જેમા પાંચ નવયુગલો લગ્નગ્રંથીથી જોડાઈને પ્રભુતામાં પગલા પાડ્યા હતા આ તકે સમુહ લગ્નોત્સવમાં મુખ્ય આમંત્રિત મહેમાનોમાં સંતો મહંતો રાજકીય અગ્રણીઓ રામાનંદીય સાધુ સેવા સમિતિના અગ્રણી આગેવાનો સહીત રામાનંદિય સમાજના મહેમાનોની ખાસ ઉપસ્થિતમાં ભાગવત આચાર્ય વિદ્વાન શાસ્ત્રી અમિતભાઈ પંડ્યા દ્વારા હિન્દુ રીત રિવાજ અનુસાર શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે લગ્નવિધિ કરાવી ઉપસ્થિત સંતો મહંતોએ અને રાજકીય અગ્રણી આગેવાનો રામાનંદીય સાધુ સેવા સમિતિના આગેવાનોએ તમામ પાંચ નવયુગલોને આર્શિવચન આપ્યા હતા આ સમુહ લગ્નોત્સવમાં લગ્નગ્રંથિથી જોડાયેલ તમામ પાંચ દીકરીઓને ૧૬૦ જેટલી ચીજ વસ્તુઓની કરિયાવરમાં ભેટ આપવામાં આવી હતી રામાનંદીય સમાજના યોજાયેલ પ્રથમ સમૂહલગ્તોસવમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર યુટુયુબ સ્ટાર કૃપાલી અગ્રવાત અને જુનિયર દયાથી ફેમસ કાજલબેન રામાનંદીએ ઉપસ્થિત તમામ લોકોનુ આકર્ષણ જમાવ્યુ હતુ આ તકે મોરબી માળીયા વિસ્તારના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ સમૂહલગ્નથી સમાજને અનેક ફાયદાઓ સાથે સમાજમાં એકતા બની રહેશે જેમના અન્ન ભેગા તેમના મન ભેગા સમાજની એકતા જ સમૂહ લગ્તોસવને સફળ બનાવે છે તેવુ જણાવ્યું હતું જ્યારે અરવિંદભાઈ વાંસદળીયા, રમેશભાઈ વડસોલા (સરપંચ), રમેશભાઈ વડસોલ (પૂર્વ સરપંચ) પંકજભાઈ રાણસરિયા સહિતના રાજકિય આગેવાનો પધાર્યા હતા સમૂહલગ્ન બાદ સમુહભોજનનુ ઉપસ્થિત તમામ લોકો માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રામાનંદીય સાધુ સેવા સમિતિ મોરબીની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી






Latest News