મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખે મહેન્દ્રનગર ગામે પાણીનો જૂનો ટાંકો તોડીને નવો બનાવવા કરી માંગ


SHARE











મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખે મહેન્દ્રનગર ગામે પાણીનો જૂનો ટાંકો તોડીને નવો બનાવવા કરી માંગ

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે વર્ષો જૂનો પાણીનો ટાંકો આવેલ છે જે જર્જરિત બની ગયો છે જેથી કરીને પાણીનો ટાંકો તૂટી પડે તેવી દહેશત છે માટે આ જૂના ટાંકાને તોડીને નવો ટાંકો બનાવવામાં આવે તવી મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખે રાજયના પાણી પુરવઠા મંત્રી અને સાંસદને લેખિતમાં રજુઆત કરી છે.

મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ જાનકીબેન જીગ્નેશભાઈ કૈલા દ્વારા રાજ્યના પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને સાંસદ વિનોદભાઈ ચાવડાને લેખિતમાં રજુઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, મહેન્દ્રનગર ગામે વર્ષો જૂનો પાણીનો ટાંકો આવેલ છે તે જર્જરીત હાલતમાં છે અને તેની બાજુમાંથી ઘણા વાહનો અને રાહદારીઓ નીકળે છે ત્યારે જો આ ટાંકો તૂટી પડે તો મોટી દુર્ઘટના સર્જાય તેમ છે અને જાનમાલને મોટા પ્રમાણ નુકશાન થાય તેવી શક્યતા છે જેથી કરીને આ જૂના ટાંકાને તોડીને નવો બનાવવામાં આવે તેવી માંગ કરી છે






Latest News