મોરબી જીલ્લામાં મેલેરીયા વિરોધી માસની ઉજવણી અંતર્ગત સઘન સર્વેલન્સની કામગીરી કરાઈ મોરબી જિલ્લામાં 31 જુલાઇ સુધી હથિયારબંધી: 4 થી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા મૂકવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું મોરબી અને વાંકાનેરમાં રથયાત્રા સંદર્ભે વિવિધ વિસ્તારમાં પ્રવેશબંધી-નો પાર્કિંગ માટે જાહેરનામું પ્રસિદ્ધ મોરબી મનપા ફાયર વિભાગે હોસ્પિટલ, સ્કૂલ અને હોટલમાં આપી ફાયરની તાલીમ મોરબીમાં જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેધીના અધ્યક્ષસ્થાને સંવિધાન હત્યા દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાની 40 ગ્રામ પંચાયતની ચૂંટણીનાં પરિણામો જાહેર થતાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ મોરબીનાં વીશીપરામાં બે પરિવાર વચ્ચે સશસ્ત્ર ધિંગાણુ : 10ને ઈજા
Breaking news
Morbi Today

હળવદમાં બુધવારે મૅગા નેત્રયજ્ઞ કેમ્પ


SHARE















હળવદમાં બુધવારે મૅગા નેત્રયજ્ઞ કેમ્પ

હળવદમાં રામાનંદી સાધુ સમાજની વાડી ખાતે સદગુરુ મૅગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આંખના મોતિયાનું નિદાન અને ઓપરેશન નિઃશુલ્ક કરી આપવામાં આવશે. વધુમાં આયોજકોએ જણાવ્યુ હતું કે, બુધવારે તા ૮ ના રોજ સવારે ૯:૩૦ થી ૧૨: ૩૦ વાગ્યા સુધી સદગુરુ મેગા નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે આ કેમ્પ રામાનંદી સાધુ સમાજની વાડી ખાતે યોજાશે. જેમાં આંખના મોતિયાનું નિદાન તેમજ ઓપરેશન નિઃશુલ્ક કરી આપવામાં આવશે.

આ કેમ્પમાં ગુજરાત રાજ્યની સર્વશ્રેષ્ઠ આંખની હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટરો હાજર દર્દીઓને તપાસી આપશે અને મોતિયાના ઓપરેશનની જરૂર જણાય તેવા દર્દીઓને રાજકોટમાં રણછોડદાસજી બાપુ આંખની હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક ઓપરેશન કરી આપવામાં આવશે અને રાજકોટ આવવા જવાની વ્યવસ્થા સહિત દવા ટીપાં ચશ્માં અને રહેવા જમવાની ઉત્તમ તમામ સુવિધા નિઃશુલ્ક રીતે સેવા આપવામાં આવશે. ત્યારે આ કેમ્પનો લાભ હળવદ તાલુકાના જરૂરિયાતમંદ દર્દીઓને લેવા માટે આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આ કેમ્પનો લાભ લેવા અગાઉથી નામ નોંધવવા માટે ૯૮૨૫૭ ૧૬૪૫૭, ૯૮૨૫૭ ૩૫૦૫૫ પર સંપર્ક કરવાનો રહેશે.

 






Latest News