ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

હળવદમાં બુધવારે મૅગા નેત્રયજ્ઞ કેમ્પ


SHARE











હળવદમાં બુધવારે મૅગા નેત્રયજ્ઞ કેમ્પ

હળવદમાં રામાનંદી સાધુ સમાજની વાડી ખાતે સદગુરુ મૅગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આંખના મોતિયાનું નિદાન અને ઓપરેશન નિઃશુલ્ક કરી આપવામાં આવશે. વધુમાં આયોજકોએ જણાવ્યુ હતું કે, બુધવારે તા ૮ ના રોજ સવારે ૯:૩૦ થી ૧૨: ૩૦ વાગ્યા સુધી સદગુરુ મેગા નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે આ કેમ્પ રામાનંદી સાધુ સમાજની વાડી ખાતે યોજાશે. જેમાં આંખના મોતિયાનું નિદાન તેમજ ઓપરેશન નિઃશુલ્ક કરી આપવામાં આવશે.

આ કેમ્પમાં ગુજરાત રાજ્યની સર્વશ્રેષ્ઠ આંખની હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટરો હાજર દર્દીઓને તપાસી આપશે અને મોતિયાના ઓપરેશનની જરૂર જણાય તેવા દર્દીઓને રાજકોટમાં રણછોડદાસજી બાપુ આંખની હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક ઓપરેશન કરી આપવામાં આવશે અને રાજકોટ આવવા જવાની વ્યવસ્થા સહિત દવા ટીપાં ચશ્માં અને રહેવા જમવાની ઉત્તમ તમામ સુવિધા નિઃશુલ્ક રીતે સેવા આપવામાં આવશે. ત્યારે આ કેમ્પનો લાભ હળવદ તાલુકાના જરૂરિયાતમંદ દર્દીઓને લેવા માટે આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આ કેમ્પનો લાભ લેવા અગાઉથી નામ નોંધવવા માટે ૯૮૨૫૭ ૧૬૪૫૭, ૯૮૨૫૭ ૩૫૦૫૫ પર સંપર્ક કરવાનો રહેશે.

 






Latest News