​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીના બાયપાસ રોડ ઉપરથી 10 જેટલા કાચા પાકા દબાણોને મનપાની ટીમે તોડી પાડ્યા મોરબીમાં ઘરેલુ હિંસાથી પીડિત સગર્ભા મહિલાને અજુગતુ પગલુ ભરતા બચાવતી 181 અભયમ ટીમ
Breaking news
Morbi Today

અધુરા માસે જન્મેલ પુત્ર અવારનવાર બીમાર રહેતો હોય તેમજ કરીયાવર મુદદે મોરબીની પરણીતાને સાસરીયાઓનો ત્રાસ


SHARE











અધુરા માસે જન્મેલ પુત્ર અવારનવાર બીમાર રહેતો હોય તેમજ કરીયાવર મુદદે મોરબીની પરણીતાને સાસરીયાઓનો ત્રાસ

મોરબીની વતની એવી બાબાજી યુવતીના લગ્ન મહુવા ખાતે થયેલા હોય અને ચારેક વર્ષના લગ્નજીવન દરમિયાન યુવતીને અધૂરા માસે બાળકનો જન્મ થયો હોય બાળક અવારનવાર બીમાર પડતું હોય તે બાબતને લઇને તેમજ અવારનવાર કરિયાવર સહિતની બાબતોએ મેંણા મારીને પરિણીતાની પજવણી કરી મારકુટ કરવામાં આવતુ હોય અંતે ભોગ બનેલી પરિણીતાએ પતિ સહિતના સાસરીયાઓ વિરૂધ્ધ ગુનો નોંધાવતા મોરબી મહીલા પોલીસે તપાસ હાથ ધરી છે.

મોરબીના રવાપર રોડ ઉપર આવેલા નરસંગ ટેકરી મંદીરની પાછળની ૨-શક્તિ સોસાયટીમાં રહેતા નરેશભાઈ ભાગવતદાસ વૈષ્ણવની દિકરી કોમલબેન વિવેકભાઈ હરેશભાઈ કુબાવત જાતે બાવાજી (ઉ.વ.૨૫) હાલ રહે.મહુવા મુનીનગર સોસાયટી સ્વામીનારાયણ ચોક મંગલમુર્તી-૧ તા.મહુવા જી.ભાવનગર ના લગ્ન ચારેક વર્ષ પહેલા મહુવાના વિવેકભાઈ હરેશભાઈ કુબાવતની સાથે થયેલ છે.તા.૭-૧૨-૨૦૧૭ થી તા.૫-૯-૨૦૨૧ દરમિયાન અવાનવાર કોમલબેનને પતિ સહીતના સાસરીયાઓ ત્રાસ દેતા હતા.કોમલબેનને સાસરીયાપક્ષના લોકો ત્રાસ આપતા હતા કારણકે કોમલબેનનો દિકરો વિદિત કેજે અધુરા માસે જન્મેલ હોય જેથી શારીરિક ખામી હોવાના કારણે અવારનવાર બીમાર પડી જતો હોય તેમજ કરિયાવર તથા જીયાણાની વસ્તુઓ બાબતે તેમજ ઘરના કામકાજ બાબતે અવારનવાર પતિ સહિતનાઓ મેણાટોણા મારીને ગાળો આપતા તેમજ પતિએ ગાલ ઉપર તમાચા મારીને તથા દિયર જયદિપે કોમલબેનને છાતીના ભાગે લાત મારીને મા-દિકરાને જાનથી મારી નાંખવાની ધમકી આપી શારીરીક અને માનસિક દુ:ખત્રાસ આપતા કોમલબેન માવતરે મોરબી આવ્યા હતા અને સારવાર લીધા બાદ મોરબીના મહિલા પોલીસ સ્ટેશન ખાતે પતિ વિવેકભાઈ હરેશભાઈ કુબાવત, સસરા હરેશભાઈ રામકૃષ્ણ કુબાવત, સાસુ કુંદનબેન હરેશભાઈ કુબાવત અને દિયર જયદિપભાઈ હરેશભાઈ કુબાવત રહે.બધા મહુવા મુનીનગર સોસાયટી સ્વામીનારાયણ ચોક " મંગલમુર્તી ’ તા.મહુવા જિ.ભાવનગર સામે ફરીયાદ નોંધાવતા પોલીસે કલમ ૪૯૮(ક), ૩૨૩, ૫૦૪,૫૦૬(૨) અને ૧૧૪ મુજબ ગુનો નોધ્યો છે જેની તપાસ પીઆઇ વી.એલ.સાકરીયા ચલાવી રહ્યા છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News