મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીના જાંબુડીયા પાસે કાર લોખંડની ગ્રીલ સાથે અથડાઇ પલટી મારી જતાં યુવાનનું મોત


SHARE







મોરબીના જાંબુડીયા પાસે કાર લોખંડની ગ્રીલ સાથે અથડાઇ પલટી મારી જતાં યુવાનનું મોત

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ જાંબુડીયા ગામ પાસે નવી આરટીઓ કચેરી સામેથી કાર ચાલક પોતાની કાર લઈને પસાર થતો હતો ત્યારે અચાનક કાવું મારવા જતા સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવી દીધો હતો અને રોડની ડાબી બાજુમાં લોખંડની ગ્રીલ સાથે તેની કાર અથડાઈ હતી ત્યાર બાદ લોખંડની ગ્રીલ તોડી કાર પલટી મારી સર્વિસ રોડ ઉપર પડી હતી ત્યારે કારમાં બેઠેલ યુવાનને ગંભીર ઇજા થતાં તેનું મોત નીપજયું હતું આ બનાવ સંદર્ભે હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે મૃતક યુવાનની સામે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના વાકિયા ગામે રહેતા અજીતભાઈ બીજલભાઇ સોલંકી (૩૬) હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાર નં. જીજે ૩ એચકે ૪૭૨૫ ના ચાલક ગિરીશભાઈ લાલજીભાઈ પરમાર રહે. મકનસર વાળાની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે, કાર ચાલક પોતાના હવાલા વાળી સ્વિફ્ટ કાર લઈને વાંકાનેર મોરબી હાઇવે ઉપર આવેલ જાંબુડીયા ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેણે અચાનક કાવું મારતા પોતાની કારના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવી દીધો હતો અને કાર રોડની ડાબી બાજુએ આવેલ લોખંડની ગ્રીલ સાથે અથડાઈ હતી ત્યાર બાદ લોખંડની ગ્રીલ તોડીને કાર પલટી ખાઈને સર્વિસ રોડ ઉપર પડી હતી જેથી ઈજા પામેલ કાર ચાલક ગીરીશભાઈ લાલજીભાઈ પરમારને માથામાં ગંભીર થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને હાલમાં આ બનાવ સંદર્ભે પોલીસે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

અકસ્માતમાં ઇજા

મોરબીના રાજપરથી ચાચાપર તરફ જવાના રસ્તા ઉપર સદગુરુ કોટન મીલ સામેના ભાગમાંથી સનાળા ગામે બાયપાસ પાસે આવેલ આનંદનગરમાં રહેતા નિલેશભાઈ અમરશીભાઈ કોરીંગા જાતે પટેલ (૩૬) પોતાનું બાઈક નં. જીજે ૩ કયું ૦૮૨૬ લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે કાર નંબર જીજે ૩૬ બી ૨૫૯૬ ના ચાલકે તેના બાઈકને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં બાઇક ચાલકને બંને પગમાં ઈજા થઈ હોવાથી હાલમાં તેણે કાર ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News