મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના જાંબુડીયા પાસે કાર લોખંડની ગ્રીલ સાથે અથડાઇ પલટી મારી જતાં યુવાનનું મોત


SHARE











મોરબીના જાંબુડીયા પાસે કાર લોખંડની ગ્રીલ સાથે અથડાઇ પલટી મારી જતાં યુવાનનું મોત

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ જાંબુડીયા ગામ પાસે નવી આરટીઓ કચેરી સામેથી કાર ચાલક પોતાની કાર લઈને પસાર થતો હતો ત્યારે અચાનક કાવું મારવા જતા સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવી દીધો હતો અને રોડની ડાબી બાજુમાં લોખંડની ગ્રીલ સાથે તેની કાર અથડાઈ હતી ત્યાર બાદ લોખંડની ગ્રીલ તોડી કાર પલટી મારી સર્વિસ રોડ ઉપર પડી હતી ત્યારે કારમાં બેઠેલ યુવાનને ગંભીર ઇજા થતાં તેનું મોત નીપજયું હતું આ બનાવ સંદર્ભે હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે મૃતક યુવાનની સામે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના વાકિયા ગામે રહેતા અજીતભાઈ બીજલભાઇ સોલંકી (૩૬) હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાર નં. જીજે ૩ એચકે ૪૭૨૫ ના ચાલક ગિરીશભાઈ લાલજીભાઈ પરમાર રહે. મકનસર વાળાની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે, કાર ચાલક પોતાના હવાલા વાળી સ્વિફ્ટ કાર લઈને વાંકાનેર મોરબી હાઇવે ઉપર આવેલ જાંબુડીયા ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેણે અચાનક કાવું મારતા પોતાની કારના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવી દીધો હતો અને કાર રોડની ડાબી બાજુએ આવેલ લોખંડની ગ્રીલ સાથે અથડાઈ હતી ત્યાર બાદ લોખંડની ગ્રીલ તોડીને કાર પલટી ખાઈને સર્વિસ રોડ ઉપર પડી હતી જેથી ઈજા પામેલ કાર ચાલક ગીરીશભાઈ લાલજીભાઈ પરમારને માથામાં ગંભીર થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને હાલમાં આ બનાવ સંદર્ભે પોલીસે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

અકસ્માતમાં ઇજા

મોરબીના રાજપરથી ચાચાપર તરફ જવાના રસ્તા ઉપર સદગુરુ કોટન મીલ સામેના ભાગમાંથી સનાળા ગામે બાયપાસ પાસે આવેલ આનંદનગરમાં રહેતા નિલેશભાઈ અમરશીભાઈ કોરીંગા જાતે પટેલ (૩૬) પોતાનું બાઈક નં. જીજે ૩ કયું ૦૮૨૬ લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે કાર નંબર જીજે ૩૬ બી ૨૫૯૬ ના ચાલકે તેના બાઈકને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં બાઇક ચાલકને બંને પગમાં ઈજા થઈ હોવાથી હાલમાં તેણે કાર ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News