મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી સિરામીક એસો., પેપર મિલ એસો. અને સિરામિક ટ્રેડર્સ એસો.નું જયસુખભાઈ પટેલને સમર્થનમાં


SHARE











મોરબી સિરામીક એસો., પેપર મિલ એસો. અને સિરામિક ટ્રેડર્સ એસો.નું જયસુખભાઈ પટેલને સમર્થનમાં

મોરબીમાં ઝૂલતા પૂલ કેસ જયસુખભાઇ પટેલ હાલમાં રિમાન્ડ ઉપર છે ત્યારે જુદાજુદા સંગઠનો તેનું સમર્થન કરી રહ્યા છે ત્યારે મોરબી સિરામીક એસો., પેપર મિલ એસો. અને સિરામિક ટ્રેડર્સ એસો. દ્વારા જયસુખભાઈ પટેલને સમર્થન જાહેર કરવામાં આવ્યું છે અને ખાસ કરીને જયસુખભાઈ પટેલ અને તેમના પિતાએ કરેલા સમાજ ઉપયોગી કાર્યો તેમજ સમાજમાં માટે કરેલા સારા કાર્યોને જુદીજુદી સંસથાઓએ યાદ કરેલ છે

મોરબીમાં ઝુલતા પુલની દુર્ઘટના બની હતી તે દુ:ખદાયક અને કમનસીબ ઘટના હતી. આ ઘટનામા અકાળે મૃત્યુ પામેલા સ્વજનો પ્રત્યે મોરબી સીરામીક એસો.ના પ્રમુખ મુકેશભાઇ કુંડારિયા, વિનોદ ભાડજા, હરેશ બોપલીયા અને કિરીટભાઈ પટેલે ભારોભાર દુખની લાગણી વ્યક્ત કરેલ છે અને તમામને શ્રધ્ધાંજલી પાઠવી છે અને જે પત્ર લખ્યો છે તેમાં જણાવ્યુ છે કે, જયસુખભાઈ પટેલના પિતા ઓધવજીભાઇ પટેલ તેમજ જયસુખભાઈ હંમેશા તમામ જ્ઞાતિ, જાતી અને તમામ વર્ગના લોકોને સહકાર આપતા રહ્યા છે. આટલું જ નહીં કન્યા કેળવણીના માધ્યમ થકી તમામ જ્ઞાતિ જાતીની દીકરીઓને શિક્ષણ, દીકરીઓને ઓરેવામાં રોજગાર આપવાનુ કામ કર્યુ છે. તેમજ ઓરપેટ ટ્રસ્ટ દ્વારા જળક્રાંતિ માટે ગામો ગામ ખેત તલાવડા, ચેકડેમ અને વોટરશેડ કરેલ છે તેમજ સમુહલગ્ન, કન્યા કેળવણી, રોજગાર, સ્કોલરશીપ જેવા અનેક કાર્યો કર્યા છે અને દાનની સરવાણી વહાવીને સેવામાં અગ્રેસર રહ્યા છે. જેથી મોરબી સીરામીક એસો.ના પ્રમુખો દ્વારા સમર્થન જાહેર કરવામાં આવ્યું છે આવી જ રીતે મોરબી પેપર મિલ એસો.ના પ્રમુખ વિપુલભાઈ કોરડીયા, ઉપપ્રમુખ વિશાલભાઈ મારવાણિયા અને સુનિલ પટેલ તેમજ મોરબી સીરામીક ટ્રેડર્સ એસો.ના પ્રમુખ કે.કે. પટેલ દ્વારા જયસુખભાઈ પટેલને સમર્થન જાહેર કરવામાં આવ્યું છે






Latest News