મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં માતાના સ્મર્ણાર્થે બે દિવસમાં ૧૨ સુવર્ણ પ્રાસન કેમ્પ યોજાશે


SHARE







મોરબીમાં માતાના સ્મર્ણાર્થે બે દિવસમાં ૧૨ સુવર્ણ પ્રાસન કેમ્પ યોજાશે

મોરબીના હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટ અને નિમા-મોરબી દ્વારા સ્વ.ઉષાબેન રવિચંદ જેસ્વાણીના સ્મરણાર્થે મોરબીમાં તા.૪ અને ૫ ફેબ્રુઆરી દરમિયાન કુલ મળીને ૧૨ સુવર્ણ પ્રાસન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે

મોરબીના હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટ અને નિમા-મોરબી દ્વારા શનિ અને રવિવારે બે દિવસમાં સ્વ. ઉષાબેન રવિચંદ જેસ્વાણીના સ્મરણાર્થે મોરબીમાં જુદીજુદી જગ્યાએ ૧૨ નિઃશુલ્ક સુવર્ણપ્રાશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે ખાસ કરીને પુષ્ય નક્ષત્ર તા.૪ શનિવારનાં આખો દિવસ છે તથા તા.૫ નાં બપોરે ૧૨ વાગ્યા સુધી શ્રેષ્ઠ એવો "રવિપુષ્યામૃત યોગ" બને છે. જે નિમિતે મોરબી જિલ્લામાં વિવિધ સ્થળોએ નિઃશુલ્ક સુવર્ણપ્રાશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી સાગર જેસ્વાણી અને નિમા-મોરબીના પ્રમુખ ડૉ.હાર્દિક જેસ્વાણી (મહેશ્વરી હોસ્પિટલ, સાવસર પ્લોટ, મોરબી) દ્વારા મહત્તમ સંખ્યામાં આ કેમ્પસનો લાભ લેવા લોકોને અનુરોધ કરવામાં આવે છે.






Latest News