ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબીના ત્રાજપર પાસે ટ્રક ચાલકે માલધારી અને ઢોરને હડફેટે લીધા: એક પાડીનું મોત


SHARE











મોરબીના ત્રાજપર પાસે ટ્રક ચાલકે માલધારી અને ઢોરને હડફેટે લીધા: એક પાડીનું મોત

મોરબીના ત્રાજપર ખારી વિસ્તારની અંદર જવાના રસ્તા ઉપર નાલા પાસેથી માલધારી પોતાના માલઢોરને લઈને પસાર થતા હતા ત્યારે ટ્રક ચાલકે પોતાની ટ્રકના સ્ટેયરીંગનો કાબુ ગુમાવ્યો હતો જેથી કરીને તેના માલધારીબાઇક અને એક પાડીને અડફેટે લીધી હતી જેથી કરીને ઇજા થતા પાડીનું મોત નીપજ્યું છે જોકે માલધારીને ઇજા થતાં તેને સારવાર માટે લઇ ગયા હતા અને હાલમાં માલધારીએ ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી મહિતી મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ત્રાજપર શેરી નંબર -૮ ની અંદર રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતા જયેશભાઈ દેવાભાઈ ગોલતર જાતે ભરવાડ (ઉંમર ૩૪) પોતાના માલઢોરને લઈને ત્રાજપર ખારી જવાના રસ્તા પાસે આવેલા નાલા નજીકથી પસાર થતા હતા ત્યારે તેઓનું બાઇક નંબર જીજે ૩૬ ક્યુ ૫૬૫૭ દોરીને લઇ જતા હતા અને તેની સાથે ભેંસોને પણ ચલાવી જતા હતા ત્યારે પાછળથી આવેલી ટ્રક નંબર જીજે ૧૮ એટી ૯૦૬૯ ના ચાલકે પોતાના સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને તેણે માલધારી જયેશભાઈ તેમજ તેના બાઈક અને ભેંસોને અડફેટે લીધી હતી જેમાં ઈજા થવાના કારણે એક પાડીનું મોત નીપજ્યું છે જોકે માલધારી જયેશભાઇને પણ ઇજાઓ થઇ હોવાથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા હાલમાં જયેશભાઇએ ટ્રક ચાલકની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News