મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વીજળી આપવાની ભારતીય કિશાન સંઘની માંગ


SHARE











મોરબી જિલ્લામાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વીજળી આપવાની ભારતીય કિશાન સંઘની માંગ

મોરબી જિલ્લામાં ખેડૂતોને પૂરતા પ્રમાણમા વીજળી આપવામાં આવતી નથી જેથી ખેડૂતોને રવિ સિઝનનો પાક લેવા માટે મુશ્કેલીનો સામનો કરવી પડી રહ્યો છે ત્યારે ભારતીય કિશાન સંઘ દ્વારા કલેકટર મારફત રાજ્યના મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી છે અને જિલ્લાના ખેડૂતોને દિવસે પૂરતા પ્રમાણમાં વીજળી આપવાની માંગ કરવામાં આવેલ છે

હાલમાં મોરબી જિલ્લા કિશન સંઘના પ્રમુખ જીલેશભાઇ કાલરિયા દ્વારા મુખ્યમંત્રીને જે રજુઆત કરવામાં આવી છે તેમાં જણાવ્યુ છે કે, ખેડુતોને શિયાળામાં રાતના સમયે પાણી વાળવા જવાના બદલે દિવસે વીજ પુરવઠો આપવામાં આવે તે વધુ હિતાવહ છે આ મુદે ટંકારા તાલુકાના ધારાસભ્ય દ્વારા પણ બે દિવસ પહેલા રજુઆત કરવામાં આવી છે તો પણ હજુ સુધી ખેડૂતોને દિવસે પૂરતા પ્રમાણમા વીજળી મળી રહી નથી જેથી કરીને સરકરએ ખેડુતોને દિવસે વિજળી આપવાની અગાઉ બાંહેધરી આપી છે. તો પછી ખેડુતોને સંપુર્ણ દિવસના સમયે જ વિજળી મળે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી માંગ કરેલ છે






Latest News