મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં સવા લાખ પાર્થિવ શિવલિંગનું પૂજા અર્ચન કરીને ધન્યતા અનુભવતા શિવભક્તો


SHARE







મોરબીમાં સવા લાખ પાર્થિવ શિવલિંગનું પૂજા અર્ચન કરીને ધન્યતા અનુભવતા શિવભક્તો

મોરબીના નીલકંઠ મહાદેવ મંદિરે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સવા લાખ પાર્થિવ શિવલિંગ બનાવીને તેનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું ત્યારે મોટી સંખ્યામાં લોકો ત્યાં હાજર રહ્યા હતા અને શિવજીની પૂજા કરીને સમગ્ર વિશ્વમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે તેવી પ્રાર્થના શિવભક્તોએ કરી હતી.

પ્રવિત્ર શ્રાવણ માસના છેલ્લા દિવસ એટલે સોમવતી અમાસના રોજ સ્વંયભુ નીલકંઠ મહાદેવ મંદિરમાં યંગ ઈન્ડિયા ગ્રૂપ દ્વારા સવા લાખ પાર્થિવ શિવલિંગ બનાવીને ભોળાનાથની સવિશેષ પૂજા કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો શ્રદ્ધાભેર જોડાયા હતા વધુમાં દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, હાલ વિશ્વમાં કોરોના સંકટને કારણે આર્થિક મંદી તેમજ લોકોનું સુખ ચેન હણાઈ ગયું છે. ત્યારે આ સંકટમાંથી સાંગોપાંગ શિવજી બધાને પાર ઉતારે તેવા હેતુસર આ આયોજન નીલકંઠ મહાદેવ મંદિરના મહંત ગુલાબગિરી ગૌસ્વામીના સહયોગથી કરવામાં આવ્યું હતું અને પાર્થિવ શિવલિંગ બનાવવાનું કામ કરવામાં મુસ્લિમ સમાજના લોકો પણ સ્વૈચ્છિક રીતે જોડાયા હતા જેથી કોમી એકતા પણ જોવા મળી હતી અને મોરબી સબ જેલના કેદીઓએ પૂજાપો તૈયાર કર્યો હતો આ સવા લાખ પાર્થિવ શિવલિંગ આશરે 300 જેટલા સ્વંય સેવકોએ છ ટન માટીમાંથી બનાવ્યા હત






Latest News