મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબીના ચાંચપર પાસે સગા ભાઈની હત્યા કરનારા આરોપીની ધરપકડ


SHARE











મોરબીના ચાંચપર પાસે સગા ભાઈની હત્યા કરનારા આરોપીની ધરપકડ

મોરબીના ચાંચપર ગામ નજીક યુવાનની હત્યા કરેલ લાશ મળી આવી હતી જે બનાવમાં હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો છે અને હત્યાનો ભેદ પણ ઉકેલાઈ ગયો છે જેમાં મૃતક યુવાને તેની જ જનેતા સાથે ખરાબ કૃત્ય આચરવાની કોશિશ કરી હતી જેથી તેને તેના જ સગાભાઈએ તેને મારી નાખ્યો હતો અને તે સમયે ત્યાં હાજર રહેલા મૃતક અને આરોપીના મિત્રની ફરિયાદ લઈને પોલીસે આરોપીની ધરપકડ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ચાંચપર ગામે વોકળામાંથી યુવાનની લાશ મળી હતી જેથી કરીને પોલીસે તપાસ શરૂ કરી હતી જેમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે અને મૃતક યુવાનની હત્યા તેના જ સગા ભાઈએ કરી છે તેવું સામે આવ્યું છે જે બનાવમાં હત્યા કરનારા શખ્સની સામે મૃતક અને હત્યારાના મિત્ર રાજેશ ઉમેશપ્રસાદ પાંડેએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની સામે ફરિયાદ નોંધાવી છેજેમાં તેને જણાવ્યુ છે કે, આનંદ અશોકભાઈ મીશ્રા રહે. મીશ્રવલીયા જી. રોહતાસ (બીહાર) હાલ- વૈભવપોલીવીવકારખાનામાંથોરાળા ગામની સીમ વાળાએ તેના સગા ભાઈ રાજન મિશ્રાની હત્યા કરેલ છે વધુમાં જણાવ્યુ છે કે, આનંદ મિશ્રા અને રાજન મિશ્રા તેની સાથે કામ કરતા હતા અને થોડા સમય પહેલા રાજન બિહારથી રોજી રોટી માટે થોરાળા આવ્યો હતો અને ત્રણેય એક જ ઓરડીમાં રહેતા હતા. જો કે, રાજન મિશ્રા ચોરી ચપાટી કરતો હતો અને તેમજ સગી માતા સાથે બે ત્રણ વખત ખરાબ કૃત્ય કરવા કોશિશ કરી હતી દરમ્યાન થોડા સમય પહેલા રાજેશઆનંદ અને રાજન ત્રણેય ચાંચપર ગામ તરફ ગયા હતા જ્યાંથી ચીકન લઈ પરત આવતા હતા ત્યારે રસ્તામાં વોકળામા ચિકન ખાવા બેઠા હતા ત્યારે આનંદ મિશ્રાએ તેના સગા ભાઈ રાજનને સફેદ કપડાથી ગળેટૂંપો આપ્યો હતો અને વોકળામા ભરેલ પાણીમા ડુબાડીને તેની હત્યા કરી નાખી હતી ત્યાર બાદ ફરિયાદીને હત્યારા આનંદે એવી ધમકી આપી હતી કે, આ વાત કોઈને કહીશ તો તારા હાલ પણ આવા કરીશ જેથી તેને કોઈને કહ્યું ન હતું અને ત્યાર બાદ પોલીસ સ્ટેશને હત્યાની ફરિયાદ નોંધાવી છે જેનો પોલીસે હત્યાનો ભેદ ઉકેલી નાખીને પોલીસે આરોપી આનંદ ઉર્ફે અશોકભાઈ પ્રેમકિશોર મીશ્રા (૨૬) રહે. મીશ્રવલીયા જી. રોહતાસ (બીહાર) હાલ રહે વૈભવપોલીવેકારખાનામાંથોરાળા ગામની સીમ વાળાની ધરપકડ કરલે છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News