મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો
Breaking news
Morbi Today

મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં જ્ઞાનધારા વિભાગ હેઠળ બે કાર્યક્રમો યોજાયા


SHARE







મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં જ્ઞાનધારા વિભાગ હેઠળ બે કાર્યક્રમો યોજાયા

મોરબીની સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં જ્ઞાનધારા વિભાગ અંતર્ગત ૬ જાન્યુઆરીના સામાન્ય જ્ઞાન પરીક્ષા યોજવામાં આવી હતી. ભારતીય બંધારણ ઉપર વૈકલ્પિક પ્રકારના પ્રશ્નોથી લેવાયેલ પરીક્ષામાં રાઠોડ હેતલ, વાઘેલા હીના તથા શિયાર જયેશ સંયુક્ત રીતે પ્રથમ ક્રમે આવેલ. આ  ઉપરાંત ૧૨મી જાન્યુઆરીના સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી નિમિત્તે જ્ઞાનધારા વિભાગ દ્વારા વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. જેમાં રાઠોડ હેતલ પ્રથમ ક્રમે, કુંભરવડિયા નિખિલ દ્વિતીય ક્રમે તથા ગોગરા મુના તૃતીય ક્રમે આવેલ.બંને સ્પર્ધાનું આયોજન જ્ઞાન ધારાના કોર્ડીનેટર ડો.રામ વારોતરીયા દ્વારા કરવામાં આવેલ.જેમાં પ્રિન્સિપાલ પ્રા.કે.આર. દંગી તથા સ્ટાફગણ ઉપસ્થિત રહેલ.વકૃત્વ સ્પર્ધામાં ડો.અનિલસિંહ રાજપુત તથા ડો.રેખાબેન શાહે નિર્ણાયક તરીકે કામગીરી બજાવી હતી






Latest News