મોરબીના અજય લોરીયાની ક્રાઈમ કુંડળી સાથે સિરામિક ઉદ્યોગકારો-પાટીદાર સમાજના આગેવાનોએ એસપીને કરી રજૂઆત: ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા આહ્વાન મોરબી જિલ્લામાં ત્રણ તાલુકા પંચાયત, ત્રણેય તાલુકાની જિલ્લા પંચાયતની બેઠક અને બે પાલિકાની ચૂંટણી લડવા માટે દાવેદારોનો રાફડો ફાટયો મોરબીના લૂંટાવદર ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા છ પકડાયા મોરબીમાં લગ્નના બહાને કરવામાં આવેલ વિશ્વાસધાત-છેતરપીડીના ગુનામાં પકડાયેલ બે આરોપી જામીન મુક્ત મોરબીમાં સીરામીક ઉદ્યોગપતિ સહિત બે વ્યક્તિ ઉપર જીવલેણ હુમલો કરવાના ગુનામાં પકડાયેલ અજય લોરીયા જેલ હવાલે મોરબીમાં ફોરવ્હીલ ગાડીના ટાયરમાંથી હવા કાઢી નાખવા બાબતે થયેલ ઝઘડાનો ખાર રાખીને મહિલાને ત્રણ મહિલા સહિત 6 લોકોએ માર માર્યો મોરબીના રંગપર ગામ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે હડફેટે માથા-મોઢામાં ઇજા પામેલા યુવાનનું મોત વાંકાનેરના જોધપર પાસે જેસીબીના ચાલકે રિક્ષાને ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં એક તરૂણીનું મોત: 4 ને ઇજા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક સપ્તાહની ઉજવણી !


SHARE











મોરબી જિલ્લામાં પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક સપ્તાહની ઉજવણી !

મોરબીના આસપાસના વિસ્તારમાં 1000 જેટલા નાના મોટા સીરામીકના કારખાને આવેલા છે તેમજ અન્ય કારખાનાઓ આવેલા છે જેમાં હજારો લોકો નાના મોટા વાહનો લઈને નોકરી ધંધા માટે અવરજવર કરતા હોય છે તેની સાથો સાથ માલવાહક વાહનોની સંખ્યા પણ ખૂબ મોટા પ્રમાણમાં હોય છે અને દિવસ દરમિયાન કોઈને કોઈ વિસ્તારની અંદર જીવલેણ અકસ્માત સર્જાય તેવો ઘાટ મોરબી જિલ્લાના મોરબી આસપાસના વિસ્તારમાં જોવા મળી રહ્યો છે તેવા સમયે મોરબી પોલીસ વિભાગ દ્વારા 33 માં રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે પોલીસ ચોકીએ ટ્રાફિક સપ્તાહની ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબીના ડીવાયએસપી ગોસ્વામી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા તેમજ મોરબી સિરામિક એસોસિયેશનના માજી પ્રમુખ નિલેશભાઈ જેતપરિયા સહિતના નગરજનો પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા ત્યારે પોલીસ અધિકારીઓ દ્વારા રોજિંદા ટ્રાફિકના લીધે સર્જાતા અકસ્માતોને ધ્યાનમાં રાખીને મોરબી મોરબીવાસીઓને વાહન ચલાવતા સમયે કાર ચલાવતા હોય તો સીટબેલ્ટ બાંધવા અને બાઈક ચલાવતા હોય તો હેલ્મેટ પહેરવા માટે થઈને અપીલ કરવામાં આવી હતી અને ખાસ કરીને ઓવર સ્પીડ વાહન ચલાવવાના કારણે ઘણી વખત જીવલેણ અકસ્માતો સર્જાતા હોય છે ત્યારે પોતાની અને અન્ય વાહન ચાલકોની સલામતીને ધ્યાનમાં રાખીને લોકો પોતાના વાહનો લઈને માર્ગ ઉપરથી અવર-જવર કરે તેના માટે પણ અનુરોધ કરવામાં આવ્યો હતો અને ઘણા બધા લોકોને આજે ટ્રાફિકના નિયમના ભંગ બદલ દંડ કરવાના બદલે ફુલ આપીને ટ્રાફિકના નિયમોને અનુસરવા માટે અધિકારીઓ દ્વારા અપીલ કરવામાં આવી છે






Latest News