ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

ફટકડીના શોખીનો સાવધાન: હળવદમાં લાઇસન્સ વાળી પિસ્તોલ ઘરે સાફ કરતા સમયે ફાયરિંગ થતાં કારખાનેદારનું મોત 


SHARE











ફટકડીના શોખીનો સાવધાન: હળવદમાં લાઇસન્સ વાળી પિસ્તોલ ઘરે સાફ કરતા સમયે ફાયરિંગ થતાં કારખાનેદારનું મોત 

મોરબી જિલ્લાના હળવદમાં આવેલ પ્રમુખસ્વામી નગરમાં પોતાના ઘરે યુવાન પિસ્તોલ સાફ કરતો હતો ત્યારે તેમાંથી ફાયરિંગ થઈ ગયું હતું જેથી ઈજા પામેલ યુવાનને તાત્કાલિક સારવાર માટે અમદાવાદ લઈ જતા હતા ત્યારે રસ્તામાં તે યુવાનનું મોત નીપજયું હતુ જેથી મૃતક યુવાનના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો છે અને આ બનાવની હાલમાં હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદમાં બંસીધર ઓઇલ મીલ ધરાવતા અને હળવદમાં આવેલ પ્રમુખસ્વામી નગરમાં રહેતા લક્ષ્મણભાઈ ગોવિંદભાઈ વરુ જાતે આહિર (ઉંમર ૪૬) ને પોતાની પિસ્તોલમાંથી ફાયરિંગ થઈ જતા ઇજા થઈ હતી જેથી ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર માટે અમદાવાદ લઈને જતાં હતા દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જેથી તેના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે હાલમાં રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે વધુમાં સૂત્રો પાસેથી જાણવા મળતી પ્રમાણે લક્ષ્મણભાઈ ગોવિંદભાઈ વરુ પોતાના ઘરે હતા ત્યારે તે પોતાની પિસ્તોલ સાફ કરી રહ્યા હતા દરમિયાન તેમાંથી ફાયરિંગ થઈ ગયું હોવાથી તેને માથાના ભાગે ઈજા થઈ હતી માટે તેને સારવારમાં અમદાવાદ લઈને જતા હતા દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જેથી કરીને મૃતક લખમણભાઇ વરુના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે હાલમાં હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે






Latest News