મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં જુદા જુદા ત્રણ બનાવમાં સગીરા સહિત ત્રણના મોત


SHARE







મોરબીમાં જુદા જુદા ત્રણ બનાવમાં સગીરા સહિત ત્રણના મોત

મોરબીમાં ગઈકાલે જુદી જુદી ત્રણ જગ્યાઓએ અલગ અલગ બનાવોમાં એક સગીરા સહિત ત્રણ લોકોના મોત નિપજયા હોવાની માહિતી પોલીસ સૂત્રોમાંથી મળી રહી છે.જેમા.મોરબીના જૂના ખારચિયા ગામે રહેતા મૂળ એમપીના પરિવારની સગીરા તેના ભાઈ સાથે રહેતી હતી અને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તેણીનું મોત નિપજ્યું હતું.તે રીતે જ મોરબીના બેલા ગામ પાસે સીરામીક યુનિટના લેબર કવાટરમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા યુવાનને છાતીમાં દુખાવો થયા બાદ તેનું મોત નિપજયુ હતું.જ્યારે મોરબીની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે એડમિટ કરાયેલા એક યુવાનનું પણ સારવાર દરમિયાન મોત નીપજયુ હોવાની માહિતી મળી રહી છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જૂના ખારચિયા ગામે કાંતિભાઈ નરસીભાઈ વાઘેલાની વાડીમાં રહેતા અને મૂળ મધ્યપ્રદેશના રહેવાસી પીનુબેન કુલસિંગભાઈ માવી નામની ૧૭ વર્ષીય આદિવાસી સગીરાએ ગળેફાંસો ખાઈ લેતા તેણીનું મોત નીપજયુ હતું.બનાવને પગલે તેના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલે ખસેડાતા તાલુકા પોલીસ મથકના મહેશભાઈ કહાંગરા દ્વારા આ અંગે નોંધ કરી તપાસ ચલાવવામાં આવી હતી જેમાં ખુલ્યુ હતું કે મૃતક પિનુબેન માવી પોતાના ભાઈ-ભાભીની સાથે અહીં મોરબી રહેતા હતા અને મજૂરી કામ કરતા હતા તેઓની માનસિક સ્થિતિ બરોબર ન હતી.દરમિયાનમાં ગઈકાલે કોઈ કારણોસર તેણીએ અંતિમ પગલું ભરી લેતા તેણીનું મોત નીપજ્યું હતું.

બીજો બનાવ મોરબીના જેતપર રોડ ઉપર બેલા (રંગપર) નજીક આવેલ લિઝાર્ડ સીરામીકના લેબર કવાટરમાં બન્યો હતો જેમાં લિઝાર્ડ સીરામીકના લેબર કવાટરમાં રહીને ત્યાં મજૂરી કામ કરતા બહાદુરસિંગ જગદીશસિંગ સિંગ નામના ૪૦ વર્ષના મજૂરને છાતીમાં દુખાવો થતાં તેને બેભાન હાલતમાં અહીંની ખાનગી હોસ્પિટલે ખસેડાયો હતો અને તેનું મોત નીપજતા પીએમ માટે મૃતદેહને સિવિલ હોસ્પિટલે ખસેડાતા બનાવની જાણ થવાથી હાલમાં તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા દ્વારા આ અંગે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

ત્રીજો બનાવ મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે બન્યો હતો જ્યાં ગત તા.૩ જાન્યુઆરીના બીમારી સબબ દાખલ કરવામાં આવેલા દિનેશ લક્ષ્મણભાઈ (ઉંમર ૩૦) રહે. મોરબી વાળાનું આજરોજ તા.૬-૧ ના વહેલી સવારે સાતેક વાગ્યાના અરસામાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જેથી બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા આ અંગે નોંધ કરી આગળની તપાસ શરૂ કરવામાં આવી હતી






Latest News