મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં જુદા જુદા ત્રણ બનાવમાં સગીરા સહિત ત્રણના મોત


SHARE











મોરબીમાં જુદા જુદા ત્રણ બનાવમાં સગીરા સહિત ત્રણના મોત

મોરબીમાં ગઈકાલે જુદી જુદી ત્રણ જગ્યાઓએ અલગ અલગ બનાવોમાં એક સગીરા સહિત ત્રણ લોકોના મોત નિપજયા હોવાની માહિતી પોલીસ સૂત્રોમાંથી મળી રહી છે.જેમા.મોરબીના જૂના ખારચિયા ગામે રહેતા મૂળ એમપીના પરિવારની સગીરા તેના ભાઈ સાથે રહેતી હતી અને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તેણીનું મોત નિપજ્યું હતું.તે રીતે જ મોરબીના બેલા ગામ પાસે સીરામીક યુનિટના લેબર કવાટરમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા યુવાનને છાતીમાં દુખાવો થયા બાદ તેનું મોત નિપજયુ હતું.જ્યારે મોરબીની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે એડમિટ કરાયેલા એક યુવાનનું પણ સારવાર દરમિયાન મોત નીપજયુ હોવાની માહિતી મળી રહી છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જૂના ખારચિયા ગામે કાંતિભાઈ નરસીભાઈ વાઘેલાની વાડીમાં રહેતા અને મૂળ મધ્યપ્રદેશના રહેવાસી પીનુબેન કુલસિંગભાઈ માવી નામની ૧૭ વર્ષીય આદિવાસી સગીરાએ ગળેફાંસો ખાઈ લેતા તેણીનું મોત નીપજયુ હતું.બનાવને પગલે તેના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલે ખસેડાતા તાલુકા પોલીસ મથકના મહેશભાઈ કહાંગરા દ્વારા આ અંગે નોંધ કરી તપાસ ચલાવવામાં આવી હતી જેમાં ખુલ્યુ હતું કે મૃતક પિનુબેન માવી પોતાના ભાઈ-ભાભીની સાથે અહીં મોરબી રહેતા હતા અને મજૂરી કામ કરતા હતા તેઓની માનસિક સ્થિતિ બરોબર ન હતી.દરમિયાનમાં ગઈકાલે કોઈ કારણોસર તેણીએ અંતિમ પગલું ભરી લેતા તેણીનું મોત નીપજ્યું હતું.

બીજો બનાવ મોરબીના જેતપર રોડ ઉપર બેલા (રંગપર) નજીક આવેલ લિઝાર્ડ સીરામીકના લેબર કવાટરમાં બન્યો હતો જેમાં લિઝાર્ડ સીરામીકના લેબર કવાટરમાં રહીને ત્યાં મજૂરી કામ કરતા બહાદુરસિંગ જગદીશસિંગ સિંગ નામના ૪૦ વર્ષના મજૂરને છાતીમાં દુખાવો થતાં તેને બેભાન હાલતમાં અહીંની ખાનગી હોસ્પિટલે ખસેડાયો હતો અને તેનું મોત નીપજતા પીએમ માટે મૃતદેહને સિવિલ હોસ્પિટલે ખસેડાતા બનાવની જાણ થવાથી હાલમાં તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા દ્વારા આ અંગે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

ત્રીજો બનાવ મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે બન્યો હતો જ્યાં ગત તા.૩ જાન્યુઆરીના બીમારી સબબ દાખલ કરવામાં આવેલા દિનેશ લક્ષ્મણભાઈ (ઉંમર ૩૦) રહે. મોરબી વાળાનું આજરોજ તા.૬-૧ ના વહેલી સવારે સાતેક વાગ્યાના અરસામાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જેથી બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા આ અંગે નોંધ કરી આગળની તપાસ શરૂ કરવામાં આવી હતી






Latest News