તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં જુદા જુદા ત્રણ બનાવમાં સગીરા સહિત ત્રણના મોત


SHARE











મોરબીમાં જુદા જુદા ત્રણ બનાવમાં સગીરા સહિત ત્રણના મોત

મોરબીમાં ગઈકાલે જુદી જુદી ત્રણ જગ્યાઓએ અલગ અલગ બનાવોમાં એક સગીરા સહિત ત્રણ લોકોના મોત નિપજયા હોવાની માહિતી પોલીસ સૂત્રોમાંથી મળી રહી છે.જેમા.મોરબીના જૂના ખારચિયા ગામે રહેતા મૂળ એમપીના પરિવારની સગીરા તેના ભાઈ સાથે રહેતી હતી અને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તેણીનું મોત નિપજ્યું હતું.તે રીતે જ મોરબીના બેલા ગામ પાસે સીરામીક યુનિટના લેબર કવાટરમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા યુવાનને છાતીમાં દુખાવો થયા બાદ તેનું મોત નિપજયુ હતું.જ્યારે મોરબીની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે એડમિટ કરાયેલા એક યુવાનનું પણ સારવાર દરમિયાન મોત નીપજયુ હોવાની માહિતી મળી રહી છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જૂના ખારચિયા ગામે કાંતિભાઈ નરસીભાઈ વાઘેલાની વાડીમાં રહેતા અને મૂળ મધ્યપ્રદેશના રહેવાસી પીનુબેન કુલસિંગભાઈ માવી નામની ૧૭ વર્ષીય આદિવાસી સગીરાએ ગળેફાંસો ખાઈ લેતા તેણીનું મોત નીપજયુ હતું.બનાવને પગલે તેના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલે ખસેડાતા તાલુકા પોલીસ મથકના મહેશભાઈ કહાંગરા દ્વારા આ અંગે નોંધ કરી તપાસ ચલાવવામાં આવી હતી જેમાં ખુલ્યુ હતું કે મૃતક પિનુબેન માવી પોતાના ભાઈ-ભાભીની સાથે અહીં મોરબી રહેતા હતા અને મજૂરી કામ કરતા હતા તેઓની માનસિક સ્થિતિ બરોબર ન હતી.દરમિયાનમાં ગઈકાલે કોઈ કારણોસર તેણીએ અંતિમ પગલું ભરી લેતા તેણીનું મોત નીપજ્યું હતું.

બીજો બનાવ મોરબીના જેતપર રોડ ઉપર બેલા (રંગપર) નજીક આવેલ લિઝાર્ડ સીરામીકના લેબર કવાટરમાં બન્યો હતો જેમાં લિઝાર્ડ સીરામીકના લેબર કવાટરમાં રહીને ત્યાં મજૂરી કામ કરતા બહાદુરસિંગ જગદીશસિંગ સિંગ નામના ૪૦ વર્ષના મજૂરને છાતીમાં દુખાવો થતાં તેને બેભાન હાલતમાં અહીંની ખાનગી હોસ્પિટલે ખસેડાયો હતો અને તેનું મોત નીપજતા પીએમ માટે મૃતદેહને સિવિલ હોસ્પિટલે ખસેડાતા બનાવની જાણ થવાથી હાલમાં તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા દ્વારા આ અંગે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

ત્રીજો બનાવ મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે બન્યો હતો જ્યાં ગત તા.૩ જાન્યુઆરીના બીમારી સબબ દાખલ કરવામાં આવેલા દિનેશ લક્ષ્મણભાઈ (ઉંમર ૩૦) રહે. મોરબી વાળાનું આજરોજ તા.૬-૧ ના વહેલી સવારે સાતેક વાગ્યાના અરસામાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જેથી બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા આ અંગે નોંધ કરી આગળની તપાસ શરૂ કરવામાં આવી હતી






Latest News