મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો
Breaking news
Morbi Today

મોરબીના મચ્છુનગરમાં વીજ શોક લગતા ગાયનું મોત


SHARE











મોરબીના મચ્છુનગરમાં વીજ શોક લગતા ગાયનું મોત

મોરબીના મચ્છુનગર પાસે પીજીવીસીએલના થાંભલા નજીક વીજ વાયરને ગાય અડી ગઈ હતી જેથી કરીને તે ગાયને વીજ શોક લાગ્યો હતો અને ગાયનું મોત નીપજ્યું હતું જેથી માલધારી દ્વારા આ અંગેની મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના મચ્છુનગરમાં રહેતા મોતીભાઈ સુરેશભાઈ પરસાણીયા જાતે ભરવાડ (૨૫) એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પોલીસને જાણ કરી હતી કે મચ્છુનગરમાં કેનાલ પાસે પીજીવીસીએલના થાંભલા નજીક ગાય હતી ત્યારે વીજ વાયરને ગાય અડી જતાં તેને શોક લાગ્યો હતો અને ગાયનું મોત નિપજ્યું હતું જેથી કરીને હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા પોલીસે આ અંગેની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

મારામારીમાં ઇજા

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ બૌદ્ધનગરમાં રહેતો હિતેશ દેવજીભાઈ મુછડીયા (૩૨) નામનો યુવાન નજરબાગ પાસે મેલડી માતાજીના મંદિર નજીક હતો ત્યારે ત્યાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં હિતેશ મુછડીયાને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો અને આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસની જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News