મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન મોરબીમાં 25 લાખ માટે સીરામીક ઉદ્યોગપતિ અને તેના મિત્ર ઉપર જીવલેણ હુમલો કરનારા અજયભાઈ લોરીયાની ધરપકડ: ગાડી, ધોકો, કપડાં, મોબાઈલ કબ્જે કરતી પોલીસે પ્રાથમિક શિક્ષક વીણાબેન દલસાણિયા (દેસાઈ) એ મોરબીને રાજયકક્ષાએ ગૌરવ અપાવ્યું
Breaking news
Morbi Today

મોરબીના મચ્છુનગરમાં વીજ શોક લગતા ગાયનું મોત


SHARE











મોરબીના મચ્છુનગરમાં વીજ શોક લગતા ગાયનું મોત

મોરબીના મચ્છુનગર પાસે પીજીવીસીએલના થાંભલા નજીક વીજ વાયરને ગાય અડી ગઈ હતી જેથી કરીને તે ગાયને વીજ શોક લાગ્યો હતો અને ગાયનું મોત નીપજ્યું હતું જેથી માલધારી દ્વારા આ અંગેની મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના મચ્છુનગરમાં રહેતા મોતીભાઈ સુરેશભાઈ પરસાણીયા જાતે ભરવાડ (૨૫) એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પોલીસને જાણ કરી હતી કે મચ્છુનગરમાં કેનાલ પાસે પીજીવીસીએલના થાંભલા નજીક ગાય હતી ત્યારે વીજ વાયરને ગાય અડી જતાં તેને શોક લાગ્યો હતો અને ગાયનું મોત નિપજ્યું હતું જેથી કરીને હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા પોલીસે આ અંગેની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

મારામારીમાં ઇજા

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ બૌદ્ધનગરમાં રહેતો હિતેશ દેવજીભાઈ મુછડીયા (૩૨) નામનો યુવાન નજરબાગ પાસે મેલડી માતાજીના મંદિર નજીક હતો ત્યારે ત્યાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં હિતેશ મુછડીયાને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો અને આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસની જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News