મોરબીમાંથી આર્મીમાં ગયેલા જવાનોના સંતાનોને ચોપડાનું વિતરણ કરતું માં જીવદયા ગ્રુપ
SHARE
મોરબીમાંથી આર્મીમાં ગયેલા જવાનોના સંતાનોને ચોપડાનું વિતરણ કરતું માં જીવદયા ગ્રુપ
મોરબીમાંથી દેશની સેવા કરવા માટે ગયેલા જવાનોના સંતાનોને અભ્યાસમાં લખવા માટે માં જીવદયા ગ્રુપ દ્વારા ચોપડા આપવામાં આવે છે અને હજુ પણ ચોપડાનું વિતરણ ચાલુ જ છે ત્યારે કોઈ બાકી હોય તો તેને માં જીવદયા ગ્રુપનો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે
મોરબીમાં ચાલતાં "માં જીવદયા ગ્રુપ" દ્વારા જે યુવાનો દેશની સેવા કરવા માટે આર્મીમાં જોડાયેલ છે તેના સંતાનોને લખવા માટેના ચોપડા આપવાનું આયોજન કરવામાં આવ્યું છે અને વિદ્યાર્થીઓને તેના ધોરણ મુજબ વિના મૂલ્યે ચોપડા આપવામાં આવી રહ્યા છે અત્યાર સુધીમાં આ ગ્રૂપ દ્વારા ૪૦૦ જેટલા જવાનોના સંતાનોને ચોપડા આપવામાં આવેલ છે અને હજુ પણ આવું કોઈ કુટુંબ બાકી હોય તો માં જીવદયા ગ્રુપનો સંપર્ક કરવા જણાવ્યુ છે અને વહેલા તે પહેલાના ધોરણે ચોપડા આપવામાં આવશે તેવું પણ જણાવ્યુ છે અને તેના માટે મોરબીની આવની ચોકડી પાસે આવેલ વિનય કરાટે એકેડમી (મો. ૮૭૫૮૨૩૫૬૦૫ અને ૭૬૦૦૩૨૬૮૮૧) નો સંપર્ક કરવા જણાવ્યુ છે