મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો
Breaking news
Morbi Today

મોરબીમાંથી આર્મીમાં ગયેલા જવાનોના સંતાનોને ચોપડાનું વિતરણ કરતું માં જીવદયા ગ્રુપ


SHARE







મોરબીમાંથી આર્મીમાં ગયેલા જવાનોના સંતાનોને ચોપડાનું વિતરણ કરતું માં જીવદયા ગ્રુપ

મોરબીમાંથી દેશની સેવા કરવા માટે ગયેલા જવાનોના સંતાનોને અભ્યાસમાં લખવા માટે માં જીવદયા ગ્રુપ દ્વારા ચોપડા આપવામાં આવે છે અને હજુ પણ ચોપડાનું વિતરણ ચાલુ જ છે ત્યારે કોઈ બાકી હોય તો તેને માં જીવદયા ગ્રુપનો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે

મોરબીમાં ચાલતાં "માં જીવદયા ગ્રુપ" દ્વારા જે યુવાનો દેશની સેવા કરવા માટે આર્મીમાં જોડાયેલ છે તેના સંતાનોને લખવા માટેના ચોપડા આપવાનું આયોજન કરવામાં આવ્યું છે અને વિદ્યાર્થીઓને તેના ધોરણ મુજબ વિના મૂલ્યે ચોપડા આપવામાં આવી રહ્યા છે અત્યાર સુધીમાં આ ગ્રૂપ દ્વારા ૪૦૦ જેટલા જવાનોના સંતાનોને ચોપડા આપવામાં આવેલ છે અને હજુ પણ આવું કોઈ કુટુંબ બાકી હોય તો માં જીવદયા ગ્રુપનો સંપર્ક કરવા જણાવ્યુ છે અને વહેલા તે પહેલાના ધોરણે ચોપડા આપવામાં આવશે તેવું પણ જણાવ્યુ છે અને તેના માટે મોરબીની આવની ચોકડી પાસે આવેલ વિનય કરાટે એકેડમી (મો. ૮૭૫૮૨૩૫૬૦૫ અને ૭૬૦૦૩૨૬૮૮૧) નો સંપર્ક કરવા જણાવ્યુ છે






Latest News