ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાંથી આર્મીમાં ગયેલા જવાનોના સંતાનોને ચોપડાનું વિતરણ કરતું માં જીવદયા ગ્રુપ


SHARE











મોરબીમાંથી આર્મીમાં ગયેલા જવાનોના સંતાનોને ચોપડાનું વિતરણ કરતું માં જીવદયા ગ્રુપ

મોરબીમાંથી દેશની સેવા કરવા માટે ગયેલા જવાનોના સંતાનોને અભ્યાસમાં લખવા માટે માં જીવદયા ગ્રુપ દ્વારા ચોપડા આપવામાં આવે છે અને હજુ પણ ચોપડાનું વિતરણ ચાલુ જ છે ત્યારે કોઈ બાકી હોય તો તેને માં જીવદયા ગ્રુપનો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે

મોરબીમાં ચાલતાં "માં જીવદયા ગ્રુપ" દ્વારા જે યુવાનો દેશની સેવા કરવા માટે આર્મીમાં જોડાયેલ છે તેના સંતાનોને લખવા માટેના ચોપડા આપવાનું આયોજન કરવામાં આવ્યું છે અને વિદ્યાર્થીઓને તેના ધોરણ મુજબ વિના મૂલ્યે ચોપડા આપવામાં આવી રહ્યા છે અત્યાર સુધીમાં આ ગ્રૂપ દ્વારા ૪૦૦ જેટલા જવાનોના સંતાનોને ચોપડા આપવામાં આવેલ છે અને હજુ પણ આવું કોઈ કુટુંબ બાકી હોય તો માં જીવદયા ગ્રુપનો સંપર્ક કરવા જણાવ્યુ છે અને વહેલા તે પહેલાના ધોરણે ચોપડા આપવામાં આવશે તેવું પણ જણાવ્યુ છે અને તેના માટે મોરબીની આવની ચોકડી પાસે આવેલ વિનય કરાટે એકેડમી (મો. ૮૭૫૮૨૩૫૬૦૫ અને ૭૬૦૦૩૨૬૮૮૧) નો સંપર્ક કરવા જણાવ્યુ છે






Latest News