તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાંથી આર્મીમાં ગયેલા જવાનોના સંતાનોને ચોપડાનું વિતરણ કરતું માં જીવદયા ગ્રુપ


SHARE











મોરબીમાંથી આર્મીમાં ગયેલા જવાનોના સંતાનોને ચોપડાનું વિતરણ કરતું માં જીવદયા ગ્રુપ

મોરબીમાંથી દેશની સેવા કરવા માટે ગયેલા જવાનોના સંતાનોને અભ્યાસમાં લખવા માટે માં જીવદયા ગ્રુપ દ્વારા ચોપડા આપવામાં આવે છે અને હજુ પણ ચોપડાનું વિતરણ ચાલુ જ છે ત્યારે કોઈ બાકી હોય તો તેને માં જીવદયા ગ્રુપનો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે

મોરબીમાં ચાલતાં "માં જીવદયા ગ્રુપ" દ્વારા જે યુવાનો દેશની સેવા કરવા માટે આર્મીમાં જોડાયેલ છે તેના સંતાનોને લખવા માટેના ચોપડા આપવાનું આયોજન કરવામાં આવ્યું છે અને વિદ્યાર્થીઓને તેના ધોરણ મુજબ વિના મૂલ્યે ચોપડા આપવામાં આવી રહ્યા છે અત્યાર સુધીમાં આ ગ્રૂપ દ્વારા ૪૦૦ જેટલા જવાનોના સંતાનોને ચોપડા આપવામાં આવેલ છે અને હજુ પણ આવું કોઈ કુટુંબ બાકી હોય તો માં જીવદયા ગ્રુપનો સંપર્ક કરવા જણાવ્યુ છે અને વહેલા તે પહેલાના ધોરણે ચોપડા આપવામાં આવશે તેવું પણ જણાવ્યુ છે અને તેના માટે મોરબીની આવની ચોકડી પાસે આવેલ વિનય કરાટે એકેડમી (મો. ૮૭૫૮૨૩૫૬૦૫ અને ૭૬૦૦૩૨૬૮૮૧) નો સંપર્ક કરવા જણાવ્યુ છે






Latest News