મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો
Breaking news
Morbi Today

હળવદ નજીક વાડીએ ઝેરી દવા પીને યુવાને જીવન ટૂંકાવ્યું


SHARE











હળવદ નજીક વાડીએ ઝેરી દવા પીને યુવાને જીવન ટૂંકાવ્યું

હળવદ નજીક આવેલ વાડીએ રહેતા યુવાને પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને ઝેરી અસર થવાના કારણે તેનું મોત નિયજ્યું હતું. ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ ધ્રાંગધ્રા રેલવે સ્ટેશન રોડ ઉપર રહેતા અને હાલમાં હળવદ નજીક આવેલ અમુબેન ભરવાડની વાડીએ રહેતા મૂળજીભાઈ વિભાભાઈ શેખાણી (ઉંમર ૩૫) નામના યુવાને પોતાની જાતે વાડીએ ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેનું મોત નીપજયું હતું ત્યારબાદ મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની વિક્રમભાઈ કલાભાઈ ગોહિલ જાતિ કોળી (ઉંમર ૨૪) રહે. હળવદ વાળાએ હળવદ તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં પોલીસ સૂત્ર પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે મૃતક યુવાન ધૂની મગજનો હતો અને એકલવાયુ જીવન જીવતો હતો અગાઉ તેણે બે વખત ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો અને હાલમાં તેણે ઝેરી દવા પી લીધી હતી અને ઝેરી અસર થવાને કારણે તેનું મૃત્યુ નીપજ્યું છે જેથી કરીને પોલીસે આ બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

વૃદ્ધાનું મોત

મોરબી તાલુકાના ગાળા ગામે રહેતા શાંતાબેન અમરશીભાઈ દલસાણીયા (ઉંમર ૭૪) નું કોઈ બીમારી સબબ મૃત્યુ નીપજ્યું હતું જેથી કરીને તેના ડેડબોડીને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બાબતે સિવિલ હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News