મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને કચ્છના સાંસદ વિનોદભાઈ ની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી મોરબીના ન્યુ ચંદ્રનગરમાં શ્રીમદ્ સપ્તાહમાં શિવજી વિવાહનો પ્રસંગ ઉજવાયો વાંકાનેરના ઓળ ગામના હળદર ધાર વિસ્તારમાં ખનીજ માફિયા ઉપર પોલીસે-ખાણ ખનીજની ટિમ ત્રાટકી: 4.10 કરોડનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

બધુ ધ્યાનમાં જ છે તમે ચિંતા ન કરો: ગાંધીનગરમાં સીએમએ આપેલા આશ્વાસન પછી મોરબી પાલિકાના સભ્યો મૂંઝવણમાં !


SHARE











બધુ ધ્યાનમાં જ છે તમે ચિંતા ન કરો: ગાંધીનગરમાં સીએમએ આપેલા આશ્વાસન પછી મોરબી પાલિકાના સભ્યો મૂંઝવણમાં !

મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની ઘટનાને લઈને હાઇકોર્ટ આકરા પાણીએ છે ત્યારે મોરબી પાલિકાને સરકાર દ્વારા સુપરસીડ કરવા માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે જેથી કરીને મોરબી પાલિકાના બાવનમાંથી ૪૮ સભ્યો ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને સાથે રાખીને સીએમને રૂબરૂ રજૂઆત કરવા માટે ગયા હતા અને ઝૂલતો પુલ તૂટવાની ઘટનામાં તેઓ નિર્દોષ હોવાની રજૂઆત કરી હતી ત્યારે ગાંધીનગરમાં ગયેલા પાલિકાના સભ્યોને સીએમએ કહ્યું હતું કે “બધુ ધ્યાનમાં જ છે તમે ચિંતા ન કરો” જેથી કરીને સીએમના આશ્વાસન પછી મોરબી પાલિકાના સભ્યોની મૂંઝવણ વધી ગઈ છે

મોરબીમાં ઝૂલતો પુલ તૂટી ગયો હતો જેથી કરીને આ ઘટનામાં ૧૩૫ નિર્દોષ લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયેલ હતા જેથી કરીને હાઇકોર્ટમાં આ મુદે સુઓમોટો અને પીએલઆઈની સુનાવણી ચાલી રહી છે ત્યારે પાલિકા સુપરસીડ ન થાય તેના માટેના પ્રયાસો મોરબી પાલિકાના સભ્યો દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે અને પાલિકાના ચૂંટાયેલા સભ્યોમાંથી ૪૮ જેટલા સભ્યો મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને સાથે રાખીને ગાંધીનગર સીએમને રૂબરૂ રજૂઆત કરવા માટે ગયા હતા

ત્યારે સીએમ ભુપેન્દ્રભાઈ પટેલને મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સાથે પાલિકાના સભ્યોમાંથી દેવાભાઇ અવાડિયા, ગિરિરાજસિંહ ઝાલા, ઇદ્રીશભાઈ જેડા, જયંતિભાઈ ઘાટલીયા અને સીમાબેન સોલંકી સહિતના મળ્યા હતા ત્યારે ઝૂલતા પુલની ઘટનામાં જે કરાર પાલિકામાં થયેલ છે, કામ આપવામાં આવ્યું છે તેની કોઈ જાણ કરવામાં આવી નથી અને પાલિકાના જનરલ બોર્ડમાં આ કામ આપવા માટેનો એજન્ડા લેવામાં આવેલ નથી તેવી લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી હતી ત્યારે સીએમએ ટૂકમાં એટલું જ કહ્યું હતું કે, “બધુ ધ્યાનમાં જ છે તમે ચિંતા ન કરો” જેથી મોરબી પાલિકાના સભ્યોને સીએમએ આપેલા આશ્વાસન પછી હવે મોરબી પાલિકાના સભ્યોની મૂંઝવણ વધી ગઈ છે






Latest News