મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબીમાં મારામારી અને એટ્રોસીટીના કેસમાં આરોપીઓનો કોર્ટમાંથી જામીન પર છૂટકારો


SHARE











મોરબીમાં મારામારી અને એટ્રોસીટીના કેસમાં આરોપીઓનો કોર્ટમાંથી જામીન પર છૂટકારો

મોરબીના વણકરવાસમાં મારામારી અને એટ્રોસીટીનો બનાવ બનેલ હતો જેમાં આરોપી સીરાજભાઈ રાજુભાઈ સુમરા અને સલીમભાઈ ઈસ્માઈલભાઈ સુમરાને પકડવામાં આવ્યા હતા જેનો હાલમાં મોરબીની એડી. ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાંથી જામીન પર છૂટકારો થયેલ છે

મોરબી સીટી એ ડીવીઝ્ન પોલીસ સ્ટેશનમાં ફરીયાદીએ ફરીયાદ નોંધાવેલ કેઆરોપી સીરાજભાઈ રાજુભાઈ સુમરા ફરીયાદીની મસ્તી કરી ગાળો બોલતો હતો જેથી ફરીયાદીએ ગાળો બોલવાની ના પાડતા તેનો ખાર રાખી સીરાજભાઈ રાજુભાઈ સુમરાએ ફરીયાદીને છરી વડે ડાબા હાથને સામાન્ય છરકા જેવી ઈજા કરી તેમજ સલીમભાઈ ઈસ્માઈલભાઈ સુમરાએ રસના પાઈપ વડે મુંઢમાર મારીને ઇજા કરી હતી અને જ્ઞાતી પ્રત્યે જાહેરમાં અપમાનીત કરેલ છે માટે પોલીસે બંને આરોપીને પકડ્યા હતા જેના વકીલ તરીકે મોરબી સીનીયર ધારાશાસ્ત્રી દીલીપ આર. અગેચાણીયા રોકાયેલ હતા અને આરોપી તરફે દલીલ કરવામાં આવેલી હતી કે આરોપી તદન નીર્દોષ છે, આરોપી વિરુદધ રાગદેષ રાખી આ ફરીયાદમાં ખોટી રીતે ગંભીર પ્રકારના ગુનામાં સંડોવી દીધેલ છે અને આરોપીએ આ કામના ફરીયાદીને માર મારેલ હોય કે જાતી પ્રત્યે અપમાનીત કરેલ નથી કે જાનથી મારી નાખવાની ધમકી આપેલ નથી. આ બનાવમાં આરોપીએ સીધી કે આડકતરી રીતે કોઈ ભાગ ભજવેલ નથી ત્યારે આરોપીને પ્રી ટ્રાયલ પનીશમેન્ટ થાય તેમ છે તેમજ હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના વીવીધ ચુકાદાઓને ધ્યાને લઈ આરોપીને જામીન પર મુકત કરવા દલીલ કરેલ હતી અને બન્ને પક્ષની દલીલોને ધ્યાને લઈ આરોપી પક્ષની દલીલ માન્ય રાખી કોર્ટે આરોપીને શરતી જામીન પર છોડવાનો હુકમ કરેલ છે આ કેસમાં આરોપી તરફે દીલીપભાઈ અગેચાણીયાજીતેન અગેચાણીયાસુનીલ એસ. માલકીયામોનીકાબેન ગોલતર રોકાયેલા હતા . 






Latest News