ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

માળીયા(મીં)ના મોટા દહીંસરા ગામે ઝેરી દવા પી ગયેલ મહિલાનું સારવારમાં મોત


SHARE











માળીયા(મીં)ના મોટા દહીંસરા ગામે ઝેરી દવા પી ગયેલ મહિલાનું સારવારમાં મોત

મોરબીના માળીયા(મિં.) તાલુકાના મોટા દહીંસરા ગામે વાડીએ રહેતી અને ખેતરોમાં મજૂરી કામ કરતી મહિલાએ કોઈ કારણોસર થોડા દિવસો પહેલાં ઝેરી દવા પી લીધીટુ હતુ જેથી કરીને તેને પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર જામનગર ખાતે લઇ ગયા હતા જો કે, જામનગર સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે માટે માળિયા તાલુકા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે માળીયા તાલુકાના મોટા દહીસરા ગામએ દશરથસિંહ મનહરસિંહ જાડેજાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતાં મોહનભાઈ ભીલના પત્ની જનકબેન ભીલ જાતે આદિવાસી (૫૨) એ કોઈ કારણોસર પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી માટે જનકબેનને પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે જામનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા જોકે જામનગરની જી.જી હોસ્પિટલ ખાતે સારવાા દરમિયાન તેનું મોત થયું હતું માટે આ બનાવની માળીયા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી મહિલાએ કયા કારણોસર ઝેરી દવા પીધી હતી તે બનાવો હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના ત્રાજપર પાસેની મયુર સોસાયટી વિસ્તારમાં રહેતા કેશુભાઈ મગનભાઈ વરાણીયા (૫૩) નામના આધેડ પોતાની રિક્ષા લઈને મેલડી માતાના મંદિર પાસેથી જતા હતા ત્યાં તેઓની રિક્ષાને આઈસર ચાલકે હડફેટે લેતા રિક્ષાચાલક કેશુભાઈને તેમજ પેસેન્જર અવિનાશકુમાર કિશોરભાઈ ભુરીયાને ઇજાઓ થતા તેમને સારવારમાં લઇ જવાયા હતા.જ્યારે મોરબીના સામાકાંઠે વાંકાનેર હાઇવે ઉપર આવેલ કુબેર ટોકિઝ પાછળ ધાર ઉપર રહેતો પ્રવીણ દેવકરણ બારૈયા નામનો આડત્રીસ વર્ષનો યુવાન બાઇક લઇને ત્રાજપરના રામજી મંદિર પાસેથી બાઇક લઇને જતો હતો ત્યારે બાઇક સ્લીપ થઇ જતાં ઇજાગ્રસ્ત પ્રવીણભાઈને સારવારમાં ખસેડાયો હતો.





Latest News