મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીના બાયપાસ રોડ ઉપરથી 10 જેટલા કાચા પાકા દબાણોને મનપાની ટીમે તોડી પાડ્યા મોરબીમાં ઘરેલુ હિંસાથી પીડિત સગર્ભા મહિલાને અજુગતુ પગલુ ભરતા બચાવતી 181 અભયમ ટીમ વાંકાનેરમાં મંદિરના નવનિર્માણના નામે જુદાજુદા બે લક્કી ડ્રોની ટિકિટોનું વેચાણ કરતો એજન્ટ પકડાયો: 13 સામે ગુનો નોંધાયો મોરબીના નીચી માંડલ પાસે રોડ ક્રોસ કરતાં યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લેતા પગમાં 3 ફ્રેકચર: વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા ટંકારાના સાવડી ગામ પાસે બાઇક ચાલકે સાયકલને ટક્કર મારતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત વાંકાનેર-માળીયા તાલુકા અને મોરબી શહેરમાં વિદેશી દારૂની 4 રેડ: દારૂની નાની મોટી 30 બોટલ કબ્જે
Breaking news
Morbi Today

માળીયા(મીં)ના મોટા દહીંસરા ગામે ઝેરી દવા પી ગયેલ મહિલાનું સારવારમાં મોત


SHARE











માળીયા(મીં)ના મોટા દહીંસરા ગામે ઝેરી દવા પી ગયેલ મહિલાનું સારવારમાં મોત

મોરબીના માળીયા(મિં.) તાલુકાના મોટા દહીંસરા ગામે વાડીએ રહેતી અને ખેતરોમાં મજૂરી કામ કરતી મહિલાએ કોઈ કારણોસર થોડા દિવસો પહેલાં ઝેરી દવા પી લીધીટુ હતુ જેથી કરીને તેને પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર જામનગર ખાતે લઇ ગયા હતા જો કે, જામનગર સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે માટે માળિયા તાલુકા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે માળીયા તાલુકાના મોટા દહીસરા ગામએ દશરથસિંહ મનહરસિંહ જાડેજાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતાં મોહનભાઈ ભીલના પત્ની જનકબેન ભીલ જાતે આદિવાસી (૫૨) એ કોઈ કારણોસર પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી માટે જનકબેનને પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે જામનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા જોકે જામનગરની જી.જી હોસ્પિટલ ખાતે સારવાા દરમિયાન તેનું મોત થયું હતું માટે આ બનાવની માળીયા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી મહિલાએ કયા કારણોસર ઝેરી દવા પીધી હતી તે બનાવો હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના ત્રાજપર પાસેની મયુર સોસાયટી વિસ્તારમાં રહેતા કેશુભાઈ મગનભાઈ વરાણીયા (૫૩) નામના આધેડ પોતાની રિક્ષા લઈને મેલડી માતાના મંદિર પાસેથી જતા હતા ત્યાં તેઓની રિક્ષાને આઈસર ચાલકે હડફેટે લેતા રિક્ષાચાલક કેશુભાઈને તેમજ પેસેન્જર અવિનાશકુમાર કિશોરભાઈ ભુરીયાને ઇજાઓ થતા તેમને સારવારમાં લઇ જવાયા હતા.જ્યારે મોરબીના સામાકાંઠે વાંકાનેર હાઇવે ઉપર આવેલ કુબેર ટોકિઝ પાછળ ધાર ઉપર રહેતો પ્રવીણ દેવકરણ બારૈયા નામનો આડત્રીસ વર્ષનો યુવાન બાઇક લઇને ત્રાજપરના રામજી મંદિર પાસેથી બાઇક લઇને જતો હતો ત્યારે બાઇક સ્લીપ થઇ જતાં ઇજાગ્રસ્ત પ્રવીણભાઈને સારવારમાં ખસેડાયો હતો.





Latest News