મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાને દોરડા વડે અંતિમ પગલું ભરવા પ્રયાસ કર્યો : બેભાન હાલતમાં સારવારમાં


SHARE











મોરબીમાં યુવાને દોરડા વડે અંતિમ પગલું ભરવા પ્રયાસ કર્યો : બેભાન હાલતમાં સારવારમાં

મોરબીના સામાકાંઠે વાંકાનેર હાઇવે ઉપર આવેલ કુબેર ચોકડી પાસે રહેતા યુવાને તેના ઘેર કોઈ કારણોસર દોરડા વડે ગળેફાંસો ખાવા પ્રયાસ કર્યો હતો જોકે તેનો ભાઈ જોઈ જતા તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે વાંકાનેર હાઇવે ઉપર આવેલ કુબેર ચોકડીની બાજુમાં રહેતો અજય ગોરધનભાઈ તરવાડીયા નામનો ૩૦ વર્ષનો યુવાન તેના ઘેર કોઈ કારણોસર દોરડા વડે ગળેફાંસો ખાઈ ગયો હતો તે દરમિયાન તેનો નાનો ભાઈ જોઈ જતા તેણે અજયને નીચે ઉતારીને સારવાર માટે અહીંની આયુષ હોસ્પિટલે ખસેડ્યો હતો હાલ અજયભાઈ બેભાન હાલતમાં વેન્ટિલેટર ઉપર હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.બનાવને પગલે હાલમાં બી ડિવિઝન પોલીસ મથકના અશોકભાઈ સારદીયા બનાવના કારણ અંગે આગળની તપાસ ચલાવી રહ્યા છે.

વ્યાજના વીસ ચક્રમાં દવા પી જતા સારવારમાં

મૂળ પોરબંદરનો અને હાલ મોરબીના સેન્ટ મેરી ફાટક પાસે આવેલ લાયન્સનગર વિસ્તારમાં રહેતો ભૂપેન્દ્ર લાલજીભાઈ પુરાણી નામનો ૪૦ વર્ષનો યુવાન મોરબીના રવાપર રોડ ઉપર ચોલામંડલમ ફાઇનાન્સ ઓફિસ નજીક કોઈ લિક્વિડ પી ગયો હતો જેથી કરીને તેને સિવિલે સારવારમાં ખસેડવામાં આવ્યો હતો અને બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફૂલતરીયાએ તપાસ હાથ ધરી હતી તેઓ પાસેથી મળતી વિગત અને યુવાનના સંબંધીઓ પાસેથી મળતી માહિતી મુજબ તેને જરૂર પડી હોય પૈસા વ્યાજે લીધા હતા અને તેના વ્યાજના ચક્રમાં હાલ સામેવાળા દ્વારા દબાણ કરવામાં આવતું હોય તે વાતનું મનમાં લાગી આવતા તેણે ઉપરોકચ પગલુ ભર્યું હતું અને હાલ તેને વધુ સારવાર માટે જામનગર લઈ જવામાં આવ્યો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.






Latest News