મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર ગામે યુવાન ઉપર બે શખ્સોએ કર્યો છરી વડે હુમલો: ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં


SHARE







મોરબીના રફાળેશ્વર ગામે યુવાન ઉપર બે શખ્સોએ કર્યો છરી વડે હુમલો: ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં

મોરબી નજીકના રફાળેશ્વર ગામે આવેલ સ્મશાન નજીક યુવાન ઉપર બે શખ્સો દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો અને યુવાનને પડખાના ભાગે છરીનો ઘા ઝીકી દેવામાં આવ્યો હોવાથી તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી ઇજાગ્રસ્ત યુવાનની ફરિયાદ લેવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત મુજબ મોરબી નજીકના રફાળેશ્વર પર ગામે આંબેડકરનગરમાં રહેતો અમૃતભાઇ તેજાભાઈ મકવાણા નામનો ત્રીસ વર્ષીય યુવાન ગામના સ્મશાન પાસે હતો ત્યારે ત્યાં દિનેશ અને એક અજાણ્યા શખ્સે તેના ઉપર કોઈ કારણોસર હુમલો કર્યો હતો અને છરી વડે પડખાના ભાગે ઇજા કરી હતી જેથી કરીને ઇજાગ્રસ્ત અમૃતભાઈ મકવાણા ને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી ઇજાગ્રસ્ત યુવાનની ફરિયાદ લેવા માટે તજવીજ શરૂ કરેલ છે વધુમાં સૂત્ર પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે રફાળેશ્વર ગામના સ્મશાન પાસે દારૂ અને નોનવેજની બાબતે માથાકૂટ રીને યુવાનની સાથે ઝઘડો થયો હતો અને ત્યારબાદ યુવાનને છરી મારવામાં આવી હતી તેવું હાલમાં ચર્ચા રહેવું છે

અકસ્માતમાં ઇજા

હળવદ ધાંગધ્રા હાઈવે ઉપર બાઈકમાં પાછળના ભાગે બેસીને ધાંગધ્રા તાલુકાના સોલડી ગામે રહેતા મધુબેન મુકેશભાઈ પટેલ (ઉંમર વર્ષ 52) જઈ રહ્યા હતા ત્યારે સોલડી બ્રિજ પાસે કોઈ કારણોસર બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને બાઇકમાં બેઠેલા મધુબેન પટેલ નીચે પટકાતા તેઓને ઈજા થઈ હતી જેથી કરીને તેઓને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

મારામારી ઇજા

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં સોઓરડી પાછળના ભાગમાં આવેલ માળિયા વનાળીયા સોસાયટીમાં રહેતા અમરશીભાઈ રવજીભાઈ પરમાર (ઉંમર વર્ષ 58) નામના વૃદ્ધને તેના ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત વૃદ્ધને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લાવ્યા હતા અને મારામારીના આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News