મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર ગામે યુવાન ઉપર બે શખ્સોએ કર્યો છરી વડે હુમલો: ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં


SHARE











મોરબીના રફાળેશ્વર ગામે યુવાન ઉપર બે શખ્સોએ કર્યો છરી વડે હુમલો: ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં

મોરબી નજીકના રફાળેશ્વર ગામે આવેલ સ્મશાન નજીક યુવાન ઉપર બે શખ્સો દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો અને યુવાનને પડખાના ભાગે છરીનો ઘા ઝીકી દેવામાં આવ્યો હોવાથી તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી ઇજાગ્રસ્ત યુવાનની ફરિયાદ લેવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત મુજબ મોરબી નજીકના રફાળેશ્વર પર ગામે આંબેડકરનગરમાં રહેતો અમૃતભાઇ તેજાભાઈ મકવાણા નામનો ત્રીસ વર્ષીય યુવાન ગામના સ્મશાન પાસે હતો ત્યારે ત્યાં દિનેશ અને એક અજાણ્યા શખ્સે તેના ઉપર કોઈ કારણોસર હુમલો કર્યો હતો અને છરી વડે પડખાના ભાગે ઇજા કરી હતી જેથી કરીને ઇજાગ્રસ્ત અમૃતભાઈ મકવાણા ને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી ઇજાગ્રસ્ત યુવાનની ફરિયાદ લેવા માટે તજવીજ શરૂ કરેલ છે વધુમાં સૂત્ર પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે રફાળેશ્વર ગામના સ્મશાન પાસે દારૂ અને નોનવેજની બાબતે માથાકૂટ રીને યુવાનની સાથે ઝઘડો થયો હતો અને ત્યારબાદ યુવાનને છરી મારવામાં આવી હતી તેવું હાલમાં ચર્ચા રહેવું છે

અકસ્માતમાં ઇજા

હળવદ ધાંગધ્રા હાઈવે ઉપર બાઈકમાં પાછળના ભાગે બેસીને ધાંગધ્રા તાલુકાના સોલડી ગામે રહેતા મધુબેન મુકેશભાઈ પટેલ (ઉંમર વર્ષ 52) જઈ રહ્યા હતા ત્યારે સોલડી બ્રિજ પાસે કોઈ કારણોસર બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને બાઇકમાં બેઠેલા મધુબેન પટેલ નીચે પટકાતા તેઓને ઈજા થઈ હતી જેથી કરીને તેઓને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

મારામારી ઇજા

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં સોઓરડી પાછળના ભાગમાં આવેલ માળિયા વનાળીયા સોસાયટીમાં રહેતા અમરશીભાઈ રવજીભાઈ પરમાર (ઉંમર વર્ષ 58) નામના વૃદ્ધને તેના ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત વૃદ્ધને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લાવ્યા હતા અને મારામારીના આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News