મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી નજીકથી ગાંજાના જથ્થા સાથે પકડાયેલ ત્રણ આરોપી જામીન મુક્ત


SHARE











મોરબી નજીકથી ગાંજાના જથ્થા સાથે પકડાયેલ ત્રણ આરોપી જામીન મુક્ત

મોરબીના લાલપર ગામ પાસે ઘરમાંથી પોલીસે ૬ કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી અને આં આરોપીઓએ તેના વકીલ મારફત મોરબીની કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી અને તેમાં આરોપીઓના વકીલે કરેલ દ્લિલને ધ્યાને લઈને કોર્ટે ત્રણેય આરોપીઓના શરતી જામીન મંજુર કર્યા છે

મોરબી નજીકના લાલપર ગામે અજંતા એપાર્ટમેન્ટના ફ્લેટમાં પોલીસે ગાંજાની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી ગાંજાના જથ્થા સાથે અમિત શ્રીશાશું તિવારી રહે. હાલ જાંબુડિયા (બિહાર), વિનોદ મનોજરાય યાદવ અને વિવેશ વશિષ્ઠ નારાયણ મિશ્રા રહે. બંને હાલ લાલપર (બિહાર) વાળા મળી આવ્યા હતા અને તેની પાસેથી ૬ કિલો ૧૨૧ ગ્રામના ગાંજાના જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને એન.ડી.પી.એસ. એક્ટની કલમ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી આ આરોપીઓના વકીલ મોરબીના સીનીયર એડવોકેટ મનીષભાઈ પી. ઓઝા (ગોપાલભાઈ) મારફત મોરબી જીલ્લાના સ્પે. જજ (એન.ડી.પી.એસ.) તથા સેશન્સ જજની કોર્ટમાં રેગ્યુલર જામીન માટે અરજી કરવામાં આવી હતી જેમાં આરોપીના વકીલ મનીષભાઈ ઓઝાએ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ચુકાદાઓ રજુ કર્યા હતા અને દલીલ કરી હતી તેને ધ્યાને લઈને મોરબી કોર્ટે ત્રણેય આરોપીઓને ૧૦,૦૦૦ ના શરતી રેગ્યુલર જામીન આપ્યા છે આ કેસમાં આરોપી તરફે વકીલ મનીષભાઈ ઓઝા તથા મેનાઝ પરમાર રોકાયેલ હતા






Latest News