તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબી નજીકથી ગાંજાના જથ્થા સાથે પકડાયેલ ત્રણ આરોપી જામીન મુક્ત


SHARE











મોરબી નજીકથી ગાંજાના જથ્થા સાથે પકડાયેલ ત્રણ આરોપી જામીન મુક્ત

મોરબીના લાલપર ગામ પાસે ઘરમાંથી પોલીસે ૬ કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી અને આં આરોપીઓએ તેના વકીલ મારફત મોરબીની કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી અને તેમાં આરોપીઓના વકીલે કરેલ દ્લિલને ધ્યાને લઈને કોર્ટે ત્રણેય આરોપીઓના શરતી જામીન મંજુર કર્યા છે

મોરબી નજીકના લાલપર ગામે અજંતા એપાર્ટમેન્ટના ફ્લેટમાં પોલીસે ગાંજાની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી ગાંજાના જથ્થા સાથે અમિત શ્રીશાશું તિવારી રહે. હાલ જાંબુડિયા (બિહાર), વિનોદ મનોજરાય યાદવ અને વિવેશ વશિષ્ઠ નારાયણ મિશ્રા રહે. બંને હાલ લાલપર (બિહાર) વાળા મળી આવ્યા હતા અને તેની પાસેથી ૬ કિલો ૧૨૧ ગ્રામના ગાંજાના જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને એન.ડી.પી.એસ. એક્ટની કલમ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી આ આરોપીઓના વકીલ મોરબીના સીનીયર એડવોકેટ મનીષભાઈ પી. ઓઝા (ગોપાલભાઈ) મારફત મોરબી જીલ્લાના સ્પે. જજ (એન.ડી.પી.એસ.) તથા સેશન્સ જજની કોર્ટમાં રેગ્યુલર જામીન માટે અરજી કરવામાં આવી હતી જેમાં આરોપીના વકીલ મનીષભાઈ ઓઝાએ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ચુકાદાઓ રજુ કર્યા હતા અને દલીલ કરી હતી તેને ધ્યાને લઈને મોરબી કોર્ટે ત્રણેય આરોપીઓને ૧૦,૦૦૦ ના શરતી રેગ્યુલર જામીન આપ્યા છે આ કેસમાં આરોપી તરફે વકીલ મનીષભાઈ ઓઝા તથા મેનાઝ પરમાર રોકાયેલ હતા






Latest News