મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો
Breaking news
Morbi Today

મોરબીના સામાકાંઠે રહેતી મહિલા એસિડ પી જતા સારવાર દરમિયાન રાજકોટ ખાતે મોત


SHARE











મોરબીના સામાકાંઠે રહેતી મહિલા એસિડ પી જતા સારવાર દરમિયાન રાજકોટ ખાતે મોત

મોરબીના સામાકાંઠે માળીયા ફાટક પાસે આવેલી ઇન્દીરાનગર વિસ્તારમાં રહેતી મહિલા તેના ઘેર કોઈ કારણોસર એસિડ પી ગઈ હતી જેથી તેને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવી હતી અને ત્યાં ટૂંકી સારવાર દરમિયાન મહિલાનું મોત નીપજયુ હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રો અને રાજકોટ હોસ્પીટલ ખાતેથી મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ઇન્દિરાનગરના વિપુલનગર વિસ્તારમાં શિવમ હોસ્પિટલની પાછળ રહેતા ચંપાબેન રમેશભાઈ સોલંકી નામની ૩૮ વર્ષની મહિલા તેના ઘેર એસિડ પી ગઈ હતી જેથી કરીને તેણીને મોરબીના સામાકાંઠે જ આવેલ સમર્પણ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવી હતી જ્યાં તેને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી અને બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકના પ્રફુલભાઈ પરમાર દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી હતી દરમ્યાનમાં મોડી રાત્રીના એકાદ વાગ્યાના અરસામાં રાજકોટ ખાતે સારવારમાં લઈ જવાયેલા ચંપાબેન સોલંકીનું મોત નીપજયુ હતું જેથી કરીને ત્યાં રાજકોટ ખાતે માલવીયા નગર પોલીસ દ્વારા આ અંગે નોંધ કરીને બનાવ સંદર્ભે આગળની તપાસ માટે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

દવા પી જતા સારવારમાં

મોરબીના માળિયા મીંયાણા તાલુકાના જસાપર ગામે રહેતી સગુણાબેન નિર્મળભાઈ કાનગડ નામની ૩૫ વર્ષીય મહિલા તેના ઘરે ઝેરી દવા પી ગયા હતા જેથી કરીને તેઓને સારવાર માટે અત્રેની મંગલમ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા બનાવને પગલે જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા તપાસ કરવામાં આવી હતી અને તપાસ દરમિયાન ખુલ્યું હતું કે લગ્નના અનેક વર્ષો બાદ પણ તેઓને સંતાન ન હોય અને તાજેતરમાં જ તેમના સગા કે પાડોશીમાં કોઈને ત્યાં ડીલેવરી થઈ હોય અને તે વાતનું મનોમન લાગી આવતા સગુણાબેનને ઉપરોક્ત પગલું ભરી લીધું હતું અને હાલ તેઓ બેભાન હાલતમાં અત્રેની મંગલમ હોસ્પિટલે સારવાર હેઠળ છે.મોરબી પોલીસે પ્રાથમિક નિવેદન લઈને બનાવ સંદર્ભે આગળની તપાસ માટે માળિયા પોલીસને જાણ કરી હતી.

મહિલા સારવારમાં

મોરબીના વાવડી ગામ પાસે આવેલ સાધુ વાસવાણી સોસાયટીમાં રહેતી આશાબેન ચેતનભાઇ ભોજવાણી નામની ૩૦ વર્ષની મહિલાએ વધુ પડતી દવાઓ પી લેતા તેને સારવાર માટે આયુષ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા તપાસ કરવામાં આવતા ઊંઘ ન આવતી હોય આશાબેનને ભૂલથી વધુ પડતી દવાઓ પી લીધી હતી અને જેથી કરીને તેમને સારવારમાં લઈ જવામાં આવ્યા હતા.તેઓનો લગ્નગાળો પાંચ વર્ષનો હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવેલ છે






Latest News