મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં બોરીયા પાટી નજીક કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત


SHARE











મોરબીમાં બોરીયા પાટી નજીક કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત

મોરબીના કેનાલ રોડ ઉપર બોરીયા પાટી પાસે કોઈ કારણોસર યુવાન કેનાલના પાણીમાં ડૂબી ગયો હતો જેથી કરીને આ બનાવવાની મોરબી નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી જેથી ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને કેનાલમાં ડૂબી ગયેલા યુવાનના મૃતદેહને શોધવા માટેની કવાયત શરુ કરવામાં આવી હતી દરમિયાન કેનાલમાંથી યુવાનનો મૃતદેહ મળી આવતા ડેડબોડીને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવી હતી અને અકસ્માત મૃત્યુના બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

 જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના કેનાલ રોડ ઉપર બોરીયા પાટી પાસે કોઈ કારણોસર યુવાન પાણીમાં ડૂબી ગયો હોવાનું જાણવા મળ્યું હતું જેથી કરીને તાત્કાલિક આ બનાવની મોરબી નગરપાલિકાને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને કેનાલમાં ડૂબી ગયેલા યુવાનની શોધખોળ શરૂ કરવામાં આવી હતી ત્યારબાદ કેનાલમાંથી નગરપાલિકાના ફાયર વિભાગની ટીમ દ્વારા મૃતક યુવાનની ડેડબોડીને બહાર કાઢવામાં આવી હતી અને મૃતકની બોડીને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી વધુમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતેથી જાણવા મળતી માહિતી મુજબ મૃતક વ્યક્તિનું નામ શાંતુલાલ લાલરામ મીણા (ઉંમર ૩૯) રહે. હાલ સરતાનપર રોડ તાલુકો વાંકાનેર વાળો હોવાનું સામે આવ્યું છે જોકે કયા કારણોસર તે કેનાલના પાણીમાં ડૂબી ગયો હતો તે દિશામાં હાલમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે






Latest News