સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

ટંકારા નજીક ગોડાઉનમાંથી ૮.૧૬ લાખની કિંમતના જીરાના ૬૮ કટ્ટાની ચોરી


SHARE





ટંકારા નજીક ગોડાઉનમાંથી ૮.૧૬ લાખની કિંમતના જીરાના ૬૮ કટ્ટાની ચોરી

ટંકારા નજીક આવેલ ગોડાઉનમાં મૂકવામાં આવેલ જીરાના જથ્થામાંથી ૬૮ કટ્ટા (કોથળા)ની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને હાલમાં ૮.૧૬ લાખનું જીરું તથા એક વજન કાંટો આમ કુલ મળીને ૮.૨૧ લાખના મુદ્દામાલની અજાણ્યા શખ્સો દ્વારા ચોરી કરવામાં આવી છે જેથી કરીને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વૃદ્ધે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે રાજકોટમાં શિવધારા રેસીડેન્સી ખાતે રહેતા અને ટંકારા નજીક તિરૂપતિ એન્ટરપ્રાઇઝ નામનું ગોડાઉન ધરાવતા પ્રવીણભાઈ મોહનભાઈ અણદાણી જાતે પટેલ (ઉંમર ૫૭)એ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા ચાર શખ્સોની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે ગત તા. ૨૫/૧૧ ના રોજ રાત્રિના ૯:૩૦ થી લઈને બીજા દિવસે સવારના આઠ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કોઇપણ સમયે તિરૂપતિ એન્ટરપ્રાઇઝ ગોડાઉનમાં તસ્કરોએ ગોડાઉનનું સટર તોડીને તેમાં પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ ગોડાઉનમાં રાખવામાં આવેલ જીરાના જથ્થામાંથી જીરાના કટ્ટાની ચોરી કરવામાં આવે છે જેથી કરીને ૮.૧૬ લાખ રૂપિયાની કિંમતનું જીરું તેમજ ૫૦૦૦ રૂપિયાની કિંમતનો વજન કાંટો આમ કુલ મળીને ૮.૨૧ લાખના મુદ્દામાલની અજાણ્યા શખ્સો દ્વારા ચોરી કરવામાં આવી હોય હાલમાં ભોગ બનેલા વૃદ્ધ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે તેના આધારે ટંકારા પોલીસે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વૃદ્ધનું મોત

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ શ્રીજી પાર્ક સોસાયટીમાં રહેતા વાઘજીભાઈ બેચરભાઈ બાવરવા (ઉમર ૯૨) ને પોતાના ઘરે હતા ત્યારે છાતીમાં દુખાવો ઉપડયો હતો જેથી તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જતા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા જેથી કરીને પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News