સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

નરેન્દ્ર મોદીએ ગુજરાત અને દેશમાં વિકાસની રાજનીતિ કરીને પરિણામ લક્ષી કામ કરી બતાવ્યું: ભુપેન્દ્રભાઈ પટેલ


SHARE





નરેન્દ્ર મોદીએ ગુજરાત અને દેશમાં વિકાસની રાજનીતિ કરીને પરિણામ લક્ષી કામ કરી બતાવ્યું: ભુપેન્દ્રભાઈ પટેલ

મોરબીના રવાપર ગામે ટંકારા પડધરી બેઠકના ભાજપના ઉમેદવારના સમર્થનમાં સીએમ ભુપેન્દ્રભાઈ પટેલની ચૂંટણી સભા યોજાઈ હતી અને તેમાં તેઓએ નરેન્દ્ર મોદીએ વિકાસની રાજનીતિ કરી છે અને પરિણામ લક્ષી કામ કરી બતાવ્યું છે તે વિકાસ અને લોકોમાં ભાજપે પ્રસ્થાપિત કરેલ વિશ્વાસને ધ્યાનમાં રાખીને આ ચૂંટણી માટે મત માગવા માટે આવ્યા છીએ ત્યારે ગુજરાતના મતદારો ભારતીય જનતા પાર્ટી ઉપર વરસી પડશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી તેવી લાગણી વ્યક્ત કરી હતી

મોરબી જિલ્લામાં આવતી ટંકારા પડધરી વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર દુર્લભજીભાઈ દેથરીયાના સમર્થનમાં મોરબીની રવાપર ચોકડી પાસે રાજ્યના સીએમ ભુપેન્દ્રભાઈ પટેલની ચૂંટણી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ભુપેન્દ્રભાઈ પટેલે ટંકારા પડધરીના ભાજપના ઉમેદવાર ગુલાબના મધ્યસ્થ કાર્યાલયને ખુલ્લુ મુક્યા બાદ જનસભાને સંબોધી હતી ત્યારે ત્યાં રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયા, ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ જયંતિભાઈ કવાડિયા, મગનભાઈ વડાવિયા, દિલુભા જાડેજા, મુકેશભાઈ કુંડારીયા, મુકેશભાઈ ઉઘરેજા, વિનોદભાઈ ભાડેજા, રાઘવજીભાઈ ગડારા સહિતના આગેવાનો ત્યાં હાજર રહ્યા હતા અને હાલમાં જે બેઠક કોંગ્રેસ પાસે છે તે ટંકારા પડધરી બેઠક ભાજપ કોંગ્રેસ પાસેથી જંગી લીડ સાથે આંચકી લેશે તેવો વિશ્વાસ સ્થાનિક ભાજપના આગેવાનોએ વ્યક્ત કર્યો હતો

ત્યારબાદ રાજ્યના સીએમ ભુપેન્દ્રભાઈ પટેલે લોકોને સંબોધતા કહ્યું હતું કે લોકોમાં વિશ્વાસ કેળવવો અને તેને સતત વર્ષો સુધી ટકાવી રાખવો એ ખૂબ જ અગત્યની બાબત છે વર્ષો પહેલાં ગુજરાતમાં શાસન કરનાર પાર્ટીએ લોકોની તકલીફો દૂર કરી ન હતી અને ત્યારબાદ ભાજપનું શાસન આવ્યું અને ભાજપના શાસન આવ્યા બાદ બે દાયકામાં પાણી, રોડ રસ્તા, આરોગ્ય સહિતની જે સુવિધાઓમાં વધારો થયો છે તે લોકો જાણે જ છે અને ખાસ કરીને નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની સત્તા સંભાળ્યા બાદ જે વિકાસની રાજનીતિ શરૂ કરી તેને આજે દેશ અને દુનિયા જાણે છે

જેથી કરીને પ્રજામાં જે વિશ્વાસ ઉભો કર્યો છે અને લોકોની નજર સમક્ષ જે વિકાસ મૂક્યો છે આ વિશ્વાસ અને વિકાસને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં પણ લોકો ભાજપ તરફથી મતદાન કરશે તેઓ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને વિકાસની પરિણામ લક્ષી જે કામગીરી ભાજપ કરે છે એટલા જ માટે તો ભાજપના આગેવાનો ખાતમુહૂર્ત કરે છે તેના લોકાર્પણ ભાજપના આગેવાનો જ કરે છે તેવી લાગણી તેઓએ વ્યક્ત કરી હતી અને અંતમાં ટંકારા પડધરી બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર એવા દુર્લભજીભાઈ દેથરીયાને જંગી લીડ સાથે વિજય અપાવવા માટે થઈને સભામાં હાજર રહેલા લોકોને આહવાન કર્યું હતું




Latest News