મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા બાળકોના જન્મદિવસની દાનરાશિમાંથી ૧૦૦ તાડપત્રીનું વિતરણ કરાયું  મોરબીમાં મિત્ર સાથેના જૂના ઝઘડાનો ખાર રાખીને છરી, ધોકા અને પાઈપ વડે હુમલો: યુવાનને છરીના ઘા ઝીકયા, 5 સામે ફરિયાદ વાંકાનેરના માટેલ રોડે કારખાનામાં અને મોરબીના રાજપર ગામે ઇલેક્ટ્રીક શૉટ લાગતાં એક-એક યુવાનનું મોત મોરબીના સનાળા ગામે જાહેરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 વ્યક્તિ 51,600 ની રોકડ સાથે પકડાયા વાંકાનેરના સરતાનપર રોડે બંધ પડેલા ટ્રકને રીપેર કરતાં સમયે માથા ઉપર જોઇન્ટ પડતાં ઇજા પામેલા યુવાનનું મોત સરકાર કયારે જાગશે?: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આમરણાંત ઉપવાસ આંદોલનમાં બે મહિલા ઉપવાસની તબિયત લથડી ગાંધીનગર ખાતે સરકાર સાથે ચર્ચા કરવા જવાનો મોરબીના જેતપર ગામના ખેડૂતોનો ઇનકાર: યોગ્ય વળતર માટે 6 સ્પષ્ટ માંગણી ખેડૂતોએ મોકલવી દીધી મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

ભાજપના ડરના લીધે લોકો સીધા આમ આદમી પાર્ટીમાં આવતા નથી: મહેશભાઇ સવાણી


SHARE











ભાજપના ડરના લીધે લોકો સીધા આમ આદમી પાર્ટીમાં આવતા નથી: મહેશભાઇ સવાણી

ગુજરાત આમ આદમી પાર્ટીના આગેવાન મહેશભાઇ સવાણી મોરબીમાં આવ્યા હતા ત્યારે જિલ્લા કાર્યાલયનું તેમણે ઉધઘટન કર્યું હતું અને બાદમાં પત્રકાર પરિષદ યોજી હતી જેમાં તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં ૯૦ ટકા લોકો આમ આદમી પાર્ટી સાથે જો કે, તે લોકો ભાજપના ડરના લીધે સામે આવતા નથી કેમ કે ભાજપ દ્વારા તેઓને નુકશાન કરવામાં આવે છે  

મોરબીમાં અવની ચોકડી પાસે પાટીદાર સોપિંગ સેન્ટરમાં આમ આદમી પાર્ટીના આગેવાન મહેશભાઇ સવાણીના હસ્તે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ત્યાર બાદ  ઇન્દ્રપ્રસ્થ પાર્ટી પ્લોટ રવાપર-ધુનડા રોડ મોરબી ખાતે જિલ્લાના આપના કાર્યકરો સાથે મુલાકાત રાખવામાં આવી હતી ત્યારે જુદાજુદા ગામના આગેવાનો, સરપંચો સહિતના લોકો આપમાં જોડાયા હતા આ તકે મોરબી જિલ્લાના પ્રમુખ યોગેશ રંગપરિયા સહિતના આગેવાનો ત્યાં હાજર રહ્યા હતા ત્યાર બાદ પત્રકાર પરિષદ યોજાઇ હતી

જેમાં ગુજરાત આમ આદમી પાર્ટીના આગેવાન મહેશભાઇ સવાણીએ જણાવ્યુ હતું કે, હાલમાં ગુજરાતનાં જુદાજુદા જિલ્લા તાલુકામાં ઘણા લોકો આમમાં જોડાઈ રહ્યા છે અને જે લોકો આપમાં જોડાયા છે તે રાજકારણ કરવા માટે નહીં પરંતુ લોકોને સારી સુવિધાઓ આપવા માટે આપની સાથે જોડાયા છે આજે ખેડૂતો, વેપારીઓ, વિદ્યાર્થીઓએ, વાલીઓ સહિતના હેરાન છે ત્યારે આગામી દિવસોમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટી નંબર વન પાર્ટી હશે તેવો વિશ્વાસ તેઓએ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યુ હતું કે, ગુજરાતમાં ૯૦ ટકાથી વધુ લોકો આમ આદમી પાર્ટી સાથે જો કે, આ લોકો ભાજપના ડરના લીધે સામે આવતા નથી કેમ કે જો તે લોકો આપમાં ખૂલીને જોડાઈ તો ભાજપ દ્વારા તેઓને નુકશાન કરવામાં આવે છે  






Latest News