મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીમાં ઝૂલતા પુલના દિવંગતોના આત્મશ્રેયાર્થે અંતરાય કર્મની પૂજા યોજાઇ


SHARE







મોરબીમાં ઝૂલતા પુલના દિવંગતોના આત્મશ્રેયાર્થે અંતરાય કર્મની પૂજા યોજાઇ

મોરબીમાં માતૃશ્રી દયાબેન મહીપતભાઈ શેઠ પરિવાર દ્વારા ઝૂલતા પુલની દુર્ઘટનામાં અવસાન પામેલ દિવંગતોના આત્મશ્રેયાર્થે અંતરાય કર્મની પૂજાનું આયોજન આયોજન કરવામાં આવ્યું હતું અને તમા ઘણા લોકો હાજર રહ્યા હતા

લોકોની આંખમાં આંસુ હોય, મનમાં કોઈ મદદે આવે એની રાહ હોય, ચિંતાના અંધારા વચ્ચે કોઈ પ્રકાશની આશા હોય ત્યારે જે તમારી મદદે આવે એજ તમારો ભગવાન. મોરબીની ગોઝારી ઘટનામાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે આ સમગ્ર ઘટના વખતે જેઓએ ખડે પગે હાજર રહી માનવ સેવાનો ધોધ વરસાવતા સંજયભાઈ શેઠ દ્વારા બચાવ કામગીરી કરતા તમામ લોકોને નિઃશુલ્ક ભોજન જમાડયું હતું અને આફતના આ સમયમાં એકપણ મિનિટનો વિચાર કર્યા વગર તમામ લોકો માટે સદાવ્રત ખુલ્લું મુકયું હતું ત્યાર બાદ આ દુર્ઘટનામાં અવસાન પામેલ દિવંગતોના આત્મશ્રેયાર્થે ગત બુધવારે સવારે ૧૦:૩૦ વાગ્યે અંતરાય કર્મની પૂજાનું આયોજન કરવામાં આવેલ છે. અને મોરબીના દરબાર ગઢ મોટા દેરાસરમાં દેરાસરમાં બિરાજમાન તીર્થંકરોની પૂજા સાથે પાર્શ્વ મંડળના બહેનો તેમજ નાના બાળકો દ્વારા પૂજન બાદ નવકાર મહામંત્રનો જાપ કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી ત્યારે માતૃ દયાબેન મહિપતભાઈ શેઠ, સંજયભાઈ મહિપતભાઈ શેઠ, નેહલબેન સંજયભાઈ શેઠ અને કાવ્યા સંજયભાઈ શેઠ સહિતનાઓએ તેનો લાભ લીધો હતો






Latest News