મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબીમાં ઝૂલતા પુલના દિવંગતોના આત્મશ્રેયાર્થે અંતરાય કર્મની પૂજા યોજાઇ


SHARE











મોરબીમાં ઝૂલતા પુલના દિવંગતોના આત્મશ્રેયાર્થે અંતરાય કર્મની પૂજા યોજાઇ

મોરબીમાં માતૃશ્રી દયાબેન મહીપતભાઈ શેઠ પરિવાર દ્વારા ઝૂલતા પુલની દુર્ઘટનામાં અવસાન પામેલ દિવંગતોના આત્મશ્રેયાર્થે અંતરાય કર્મની પૂજાનું આયોજન આયોજન કરવામાં આવ્યું હતું અને તમા ઘણા લોકો હાજર રહ્યા હતા

લોકોની આંખમાં આંસુ હોય, મનમાં કોઈ મદદે આવે એની રાહ હોય, ચિંતાના અંધારા વચ્ચે કોઈ પ્રકાશની આશા હોય ત્યારે જે તમારી મદદે આવે એજ તમારો ભગવાન. મોરબીની ગોઝારી ઘટનામાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે આ સમગ્ર ઘટના વખતે જેઓએ ખડે પગે હાજર રહી માનવ સેવાનો ધોધ વરસાવતા સંજયભાઈ શેઠ દ્વારા બચાવ કામગીરી કરતા તમામ લોકોને નિઃશુલ્ક ભોજન જમાડયું હતું અને આફતના આ સમયમાં એકપણ મિનિટનો વિચાર કર્યા વગર તમામ લોકો માટે સદાવ્રત ખુલ્લું મુકયું હતું ત્યાર બાદ આ દુર્ઘટનામાં અવસાન પામેલ દિવંગતોના આત્મશ્રેયાર્થે ગત બુધવારે સવારે ૧૦:૩૦ વાગ્યે અંતરાય કર્મની પૂજાનું આયોજન કરવામાં આવેલ છે. અને મોરબીના દરબાર ગઢ મોટા દેરાસરમાં દેરાસરમાં બિરાજમાન તીર્થંકરોની પૂજા સાથે પાર્શ્વ મંડળના બહેનો તેમજ નાના બાળકો દ્વારા પૂજન બાદ નવકાર મહામંત્રનો જાપ કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી ત્યારે માતૃ દયાબેન મહિપતભાઈ શેઠ, સંજયભાઈ મહિપતભાઈ શેઠ, નેહલબેન સંજયભાઈ શેઠ અને કાવ્યા સંજયભાઈ શેઠ સહિતનાઓએ તેનો લાભ લીધો હતો






Latest News