મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચારવાના ગુનામાં બે આરોપીની ધરપકડ મોરબીમાં યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપીને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ ગુજરાત દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન મોરબીમાં રબારી અને ભરવાડ સમાજની સભામાં શિક્ષણ, સંગઠન અને રાજકારણ ઉપર ભાર મુક્તા આગેવાનો મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના નવરંગ માંડવાનું આયોજન:  ચૈત્રી નવરાત્રી નિમિતે રાસ ગરબાનું આયોજન હળવદના રાયસંગપર-મયુરનગર વચ્ચે નજીવી વાતમાં યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

“આમા માળીયા સુધી નર્મદાનું પાણી પુગે કેમ ?” કેનાલમાં ૩૦૦૦ દેડકા કાર્યરત હોવાનો ખેડૂતોનો આક્ષેપ​​​​​​​ 


SHARE











“આમા માળીયા સુધી નર્મદાનું પાણી પુગે કેમ ?” કેનાલમાં ૩૦૦૦ દેડકા કાર્યરત હોવાનો ખેડૂતોનો આક્ષેપ 

હાલમાં વરસાદ ખેંચવાના લીધે ખેડૂતોને નર્મદાની કેનાલમાથી સિચાઈ માટે પાણી આપવામાં આવે તે જરૂરી છે ત્યારે તંત્ર વાહકો દ્વારા નક્કર કામ કરવામાં આવી રહ્યું નથી જેથી કરીને ખેડૂતો જાતે કેનાલ ઉપર ચેકિંગ માટે જતાં હોય છે ત્યારે એવિ ચોકાવનારી માહિતી સામે આવી છે કે, આ કેનાલમા એક કે બે નહીં પરંતુ ૩૦૦૦ જેટલા દેડકા કાર્યરત છે જેથી કરીને કેનાલમાં ગમે તેટલું પાણી છોડવામાં આવે તો પણ “આમા માળીયા સુધી નર્મદાનું પાણી પુગે કેમ ? તે સૌથી મોટો સવાલ છે ત્યારે ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરનર્મદા નિગમના અધિકારી અને વીજ તંત્રને આવેદનપત્ર પાઠવીને કેનાલમાં નાખવામાં આવેલા ગેરકાયદે દેડકાબકનળી અને કનેક્શન કટ કરીને માળીયાના ખેડૂતોને પાણી પહોચડવા માટેની માંગ કરવામાં આવી છે અને જો ત્રણ દિવસમાં પાણી નહીં પહોંચે તો હાઇકોર્ટે જવા ચીમકી ઉચ્ચારી છે

માળીયા તાલુકાના ખેડૂતોને નર્મદાની કેનાલમાથી હાલમાં પાણી મળી રહ્યું નથી જેથી કરીને ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા સુરેન્દ્રનગર કલેકટરનર્મદા નિગમના અધિકારી અને વીજ તંત્રને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે જેમાં લખયું છે કેહળવદ તાલુકાના ગામડા સુઘી જ પાણી પહોચે છે. જો કે, માળીયા તાલુકાનાં ખેડૂતોને પાણી મળતું નથી કેમ કે, આ કેનાલમાં ૩૦૦૦ જેટલા દેડકા નાખવામાં આવેલ છે જેથી ગેરકાયદે પાણી ઉપાડી લેવામાં આવતું હોય જે ખેડૂતોને ખરેખર પાણીની જરૂર છે તે ખેડૂતોને પાણી મળી રહયું નથી જો ખાસ ટીમો બનાવીને ગેરકાયદે પાણીના ક્નેકશાનો અને દેડકાને કેનાલમાથી કાઢવામાં આવે તો જ છેવાડાના ગામ સુધી આ કેનાલમાં પાણી પહોચે તેમ છે તે નિશ્ચિત વાત છે


હાલમાં ખેડૂતો પાણી માટે ચેકિંગ કરી રહ્યા છે અને જવાબદાર અધિકારી તમાશો જોઈ રહ્યા છે ત્યારે અધિકારીઓની બેદ્ર્કારીના લીધે ખેડૂતોને નુકશાની થઈ રહી છે તેવા સમયે હાલમાં પણ ખેડૂતો શાંતિનો માર્ગ અપનાવીને આવેદન પત્ર પાઠવી રહ્યા છે જો કે, આગામી દિવસોમાં નક્કર પગલાં ન લેવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની તૈયારી ખેડૂતો દ્વારા કરવામાં આવી છે માળીયા બ્રાન્ચ કેનાલમાંથી માળીયા તાલુકાને પણ પાણી મળે તે વ્યવસ્થા ગોઠવવાની જવાબદારી અધિકારીઓએ અને પદાધિકારીની છે જો કે, ખેડૂતો હેરાન છે તેમ છતાં પણ અધિકારી કે પદાધિકારીના પેટનું પાણી કેમ હલતું નથી તે સૌથી મોટો પ્રશ્ન છે પરંતુ હવે અધિકારીઓએ તેને ગંભીરતાથી નહિ લે તો આગમી દિવસોમાં ના છૂટકે ન્યાય માટે ખેડૂતો હાઇકોર્ટના ડિયર ખટખટાવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે




Latest News