મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના દરબાર ગઢ ખાતે રાજપૂત સમાજ દ્વારા શરદોત્સવ યોજાયો: સમાજના નવ નવા ટ્રસ્ટી બન્યા  


SHARE











મોરબીના દરબાર ગઢ ખાતે રાજપૂત સમાજ દ્વારા શરદોત્સવ યોજાયો: સમાજના નવ નવા ટ્રસ્ટી બન્યા  

દરવર્ષની જેમ આ વર્ષે પણ મોરબીના દરબાર ગઢ ખાતે મોરબી રાજપૂત સમાજ દ્વારા શરદ પુનમના દિવસે સમાજના દીકરી અને બહેનો માટે શરદોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સમાજના બહેન દીકરીઓએ ટ્રેડીશનલ ડ્રેસ તેમજ રાજપૂત સમાજની ઝાંખી કરાવે તેવા વસ્ત્રો પહેરીને રાસગરબાની રમઝટ બોલાવી હતી અને રાસ ગરબાના આ કાર્યક્રમમાં જે બહેન દીકરીઓ દ્વારા સારી રીતે પર્ફોમન્સ કરવામાં આવ્યુ હતુ તેને વેલ ડ્રેસવેલ સ્ટાઇલવેલ એકસપ્રેસન, પ્રિન્સેસ સહિતના એવોર્ડ આપીને સન્માનીત કરવામાં આવ્યા હતા આ તકે શરદોત્સવના મુખ્ય સ્પોન્સર જયદીપ કંપની વાળા દિલુભા જાડેજા, વાંકાનેરના મહારાણા કેશરિદેવસિંહ ઝાલા તેમજ દેવા સોલ્ટ પરિવારના પ્રતિનિધિ સહિતના આગેવાનો અને હોદેદારો હાજર રહ્યા હતા અને મોરબીમાં રાજપૂત સમાજના ટ્રસ્ટનાં ટ્રસ્ટી બનાવા માટે ૧૧ લાખ રૂપિયા સમાજમાં આપવાની નિર્ણય કરવામાં આવ્યો હતો અને આ તકે મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ દશરથસિંહ ઉદેસિંહ ઝાલા (આદેપર)મ મહાવીરસિંહ નરેન્દ્રસિંહ જાડેજા (વીરપરડા), મહેન્દ્રસિંહ દિલુભા ઝાલા (રંગપર), કિશોરસિંહ વનરાજસિંહ ઝાલા (વઘાસિયા), દિલીપસિંહ જીવુભા ઝાલા (જૂના સદુકા), મેઘરાજસિંહ નરભેસિંહ ઝાલા (રંગપર), નરવીરસિંહ વિજયભાઈ ઝાલા (રંગપર), રઘુવીરસિંહ ઝાલા (મોટા ખીજડીયા) અને નાગરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (વધારવા)એ સમાજના ટ્રસ્ટમાં ૧૧-૧૧ લાખ રૂપિયા આઈને ટ્રસ્ટી બનેલ છે અને શરદોત્સવના કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ દશરથસિંહ ઉદેસિંહ ઝાલામહામંત્રી મહાવીરસિંહ જાડેજામાજી પ્રમુખ મહેન્દ્રસિંહ ઝાલાજયરાજસિંહ જાડેજા, ઘનશ્યામસિંહ ઝાલા સહિતના રાજપૂત સમાજના આગેવાનો તેમજ યુવાનોએ જહેમત ઉઠાવી હતી






Latest News