મોરબી: રાપર-મણાબા વચ્ચે અકસ્માતમાં ઘવાયેલ યુવાનનું સારવાર દરમ્યાન મોત ટંકારાના મોટા રામપર ગામે નારીચાણીયા હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ ઉજવાઇ મોરબીમાં ફાયરના વાહનોમાં ઝડપથી પાણી ભરી શકાય તે માટે નવા 5 પોઈન્ટની વ્યવસ્થા ઊભી કરાઇ મોરબીમાં નકલી દૂધ-નકલી પનીરનું વેચાણ થતું હોવાનું ગ્રાહક સુરક્ષા મંડળે કરી કમિશનરને રજૂઆત મોરબીમાં બાબા સાહેબ આંબેડકરજી-મહાત્મા જ્યોતિબા ફૂલેજીની જન્મજયંતિ નિમિત્તે સંગીત સંધ્યાનું આયોજન મોરબી જીલ્લામાં 89 પોલીસ કર્મચારીઓની બદલી મોરબીના કેળવણી નિરીક્ષક શિક્ષણ વય નિવૃત થતા વિદાયમાન અપાયું મોરબીના મોડપર ગામે હનુમાન જયંતિના દિવસે હનુમાન મંદિરે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર યુવતીએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત


SHARE











મોરબીના મહેન્દ્રનગર યુવતીએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ ઇન્દિરાનગરમાં આવેલ ધર્મનગરમાં રહેતી યુવતીએ પોતાના જ ઘરમાં ચુંદડી વડે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા ત્યાં સારવાર દરમ્યાન યુવતીનું મોત નીપજયું  છે જેથી કરીને આપઘાતના બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે 

બનાવવાની મોરબી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રનગર ગામે માળિયા ફાટક પાસે આવેલ ઇન્દિરાનગર વિસ્તારના ધરમનગરમાં રહેતા પ્રવીણભાઈ સનુરા કે જેઓ વાહન ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે તેઓની ૧૭ વર્ષીય દીકરી પ્રિયાબેને ગઈકાલે સાંજના છ વાગ્યાના અરસામાં તેના ઘેર ચુંદડી વડે ગળેફાંસો ખાઈ લીધો હતો જેથી તેને શહેરના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ જવામાં આવી હતી અને ત્યાં પ્રાથમિક સારવાર આપીને તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી ત્યાં ટૂંકી સારવાર દરમિયાન પ્રિયાબેન પ્રવીણભાઈ સનુરા નામની ૧૭ વર્ષીય યુવતીનું મોત નીપજ્યું હતું હાલમાં બી ડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ જે.જે. ડાંગર દ્વારા બનાવ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવેલી છે






Latest News