મોરબી જિલ્લા પંચાયત, 5 તાલુકા પંચાયત અને 2 પાલિકાની 179 બેઠક માટે ભાજપમાં 580 દાવેદાર: કાલે મોરબી મહાપાલિકા-માળીયા (મી) પાલિકાની બેઠકો માટે સેન્સ લેવાશે મોરબી: રાપર-મણાબા વચ્ચે અકસ્માતમાં ઘવાયેલ યુવાનનું સારવાર દરમ્યાન મોત ટંકારાના મોટા રામપર ગામે નારીચાણીયા હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ ઉજવાઇ મોરબીમાં ફાયરના વાહનોમાં ઝડપથી પાણી ભરી શકાય તે માટે નવા 5 પોઈન્ટની વ્યવસ્થા ઊભી કરાઇ મોરબીમાં નકલી દૂધ-નકલી પનીરનું વેચાણ થતું હોવાનું ગ્રાહક સુરક્ષા મંડળે કરી કમિશનરને રજૂઆત મોરબીમાં બાબા સાહેબ આંબેડકરજી-મહાત્મા જ્યોતિબા ફૂલેજીની જન્મજયંતિ નિમિત્તે સંગીત સંધ્યાનું આયોજન મોરબી જીલ્લામાં 89 પોલીસ કર્મચારીઓની બદલી મોરબીના કેળવણી નિરીક્ષક શિક્ષણ વય નિવૃત થતા વિદાયમાન અપાયું
Breaking news
Morbi Today

મોરબીના સિનિયર સિનિજનને ૭૦,૯૪૫ છ ટકા વ્યાજ સાથે ચૂકવવા તકરાર નિવારણ કમીશનનો આદેશ


SHARE











મોરબીના સિનિયર સિનિજનને ૭૦,૯૪૫ છ ટકા વ્યાજ સાથે ચૂકવવા તકરાર નિવારણ કમીશનનો આદેશ

મોરબી શહેર અને જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા દેના બેંકના નિવૃત કર્મચારી નાઝભાઈ સોલંકી અમદાવાદમાં મેડીકલ સારવાર નિયતી હોસ્પીટલમાં લીધેલ તેના પ્રથમ યુનાઇ ટેડ ઇન્ડીયા ઇન્સયુરન્સ કંપનીએ વીમો આપવાની ના પાડતા રાજકોટ ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં કેસ દાખલ કર્યો હતો જેથી કરીને ૭૦૯૪૫ છ ટકાના વ્યાજ સાથે ચુકવવાનો આદેશ કરેલ છે

મોરબીના વતની અને દેનાબેંકના નિવૃત કર્મચારી સોલંકી નાઝભાઇ સોમભાઇએ અમદાવાદની નિયતી હોસ્પીટલમાં સારવાર લીધેલ હતી તેનો વીમો યુનાઇટેડ ઇન્ડિીયા ઇન્સયુરન્સ કંપનીનો વીમો હતો અને તેણે ૭૦૯૪૫ રૂપિયાના બીલ રજુ કરેલ હતા પરંતુ વીમા કંપનીએ કહેલ કે નાઝભાઇ સોલંકી તમાકુ વાળા પાન ખાતા હતા તે બતાવેલ નથી અને આ દર્દ તમાકુ વાળા પાન ખાવાથી થાય છે તેવા કારણોસર વીમો નામંજુર કરેલ હતો પરંતુ કોર્ટ તે કારણ માન્ય રાખેલ નહી અને નાઝભાઇ સોલંકીને બીલની રકમ બે વર્ષનાં નવ ટકાના વ્યાજ સાથે અને પાંચ હજાર ખર્ચના ચુકવવા વીમા કંપનીને હુકમ કરેલ છે તેવું સંસ્થાના પ્રમુખ લાલજીભાઇ મહેતાએ જણાવ્યુ છે






Latest News