મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના સિનિયર સિનિજનને ૭૦,૯૪૫ છ ટકા વ્યાજ સાથે ચૂકવવા તકરાર નિવારણ કમીશનનો આદેશ


SHARE











મોરબીના સિનિયર સિનિજનને ૭૦,૯૪૫ છ ટકા વ્યાજ સાથે ચૂકવવા તકરાર નિવારણ કમીશનનો આદેશ

મોરબી શહેર અને જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા દેના બેંકના નિવૃત કર્મચારી નાઝભાઈ સોલંકી અમદાવાદમાં મેડીકલ સારવાર નિયતી હોસ્પીટલમાં લીધેલ તેના પ્રથમ યુનાઇ ટેડ ઇન્ડીયા ઇન્સયુરન્સ કંપનીએ વીમો આપવાની ના પાડતા રાજકોટ ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં કેસ દાખલ કર્યો હતો જેથી કરીને ૭૦૯૪૫ છ ટકાના વ્યાજ સાથે ચુકવવાનો આદેશ કરેલ છે

મોરબીના વતની અને દેનાબેંકના નિવૃત કર્મચારી સોલંકી નાઝભાઇ સોમભાઇએ અમદાવાદની નિયતી હોસ્પીટલમાં સારવાર લીધેલ હતી તેનો વીમો યુનાઇટેડ ઇન્ડિીયા ઇન્સયુરન્સ કંપનીનો વીમો હતો અને તેણે ૭૦૯૪૫ રૂપિયાના બીલ રજુ કરેલ હતા પરંતુ વીમા કંપનીએ કહેલ કે નાઝભાઇ સોલંકી તમાકુ વાળા પાન ખાતા હતા તે બતાવેલ નથી અને આ દર્દ તમાકુ વાળા પાન ખાવાથી થાય છે તેવા કારણોસર વીમો નામંજુર કરેલ હતો પરંતુ કોર્ટ તે કારણ માન્ય રાખેલ નહી અને નાઝભાઇ સોલંકીને બીલની રકમ બે વર્ષનાં નવ ટકાના વ્યાજ સાથે અને પાંચ હજાર ખર્ચના ચુકવવા વીમા કંપનીને હુકમ કરેલ છે તેવું સંસ્થાના પ્રમુખ લાલજીભાઇ મહેતાએ જણાવ્યુ છે






Latest News