મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં રેલવેની ઓફિસમાં રેલ કર્મચારીએ જવલંતશીલ પદાર્થ છાંટીને કાંડી ચાંપી કર્યો આપઘાતનો પ્રયાસ


SHARE











મોરબીમાં રેલવેની ઓફિસમાં રેલ કર્મચારીએ જવલંતશીલ પદાર્થ છાંટીને કાંડી ચાંપી કર્યો આપઘાતનો પ્રયાસ

મોરબીના રેલ્વે સ્ટેશન પાસે આવેલ સિનિયર સેક્શન એન્જિનિયરની ઓફિસમાં રેલ્વે કર્મચારીએ પોતાના ઉપર જવલંતશીલ પદાર્થ છાંટીને કાંડી ચાંપી લીધી હતી જેથી ગંભીર રીતે દાઝી ગયેલા યુવાનને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે હાલમાં રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે જોકે, રેલવે કર્મચારી દ્વારા ક્યાં કરણોસર રેલવેની ઓફિસમાં પોતાની જાતને જલાવી લેવામાં આવી હતી તે દિશામાં હાલમાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવેલ છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના રેલ્વે સ્ટેશન પાસે નવલખી રોડ ઉપર આવેલ સિનિયર સેક્શન એન્જિનિયરની ઓફિસમાં ફરજ પર હાજર રહેલા બીપીન લાઠીયા નામના રેલવે કર્મચારીએ આજે બપોરના સમયે ઓફિસની અંદર જ પોતાના ઉપર જવલંતશીલ પદાર્થ છાંટીને કાંડી ચાંપી લેવામાં આવી હતી જેથી બીપીન લાઠીયા ગંભીર રીતે દાજી ગયેલ છે જેથી તાત્કાલિક ૧૦૮ મારફતે તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ જવામાં આવ્યો હતો જોકે અહીંયા પ્રાથમિક સારવાર આપ્યા બાદ તાત્કાલિક તેને વધુ સારવાર માટે મોરબીથી રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવેલ છે

વધુમાં આ બનાવ સંદર્ભે સિનિયર સેક્શન ઓફિસર ભાર્ગવ જોશી સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે તેમની ઓફિસમાં કામ કરતા રેલવે કર્મચારી બીપીન લાઠીયાએ પોતાના શરીર ઉપર જવલંતશીલ પદાર્થ છાંટીને કાંડી ચાંપી લીધી હતી જેથી તે ગંભીર રીતે દાજી ગયો છે અને વધુમાં તેઓએ એવું પણ જણાવ્યુ છે કે, છેલ્લા થોડા દિવસોથી તે પારિવારિક પ્રશ્નોને લઈને ગુમસૂમ રહેતા હતો તેવું તેના સાથી કર્મચારીઓ પાસેથી જાણવા મળી રહ્યું છે પરંતુ ખરેખર કયા કારણોસર બીપીન લાઠીયાએ જાતને જલાવીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો તે દિશામાં આગળની તપાસ કરવામાં આવી રહી છે






Latest News